Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના દરિયાકિનારે ‘બિપરજોય’ ટકરાશે નહીં, દરિયાકાંઠે કોઈ અસર નથી; હવામાન વિભાગે કરી આગાહી

Webdunia
ગુરુવાર, 8 જૂન 2023 (13:12 IST)
અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકવાનું છે તેવી વાતનો હાલ પૂરતો અંત આવી ગયો છે. આગામી પાંચ દિવસ સુધી હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતના કિનારે વાવાઝોડું ટકરાશે નહીં, એટલે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ હાલ પૂરતું અટકી ગયું છે. પાંચ દિવસ બાદ નક્કી થશે કે, વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે કે અન્ય તરફ ફંટાયું છે, હાલ પૂરતી ગુજરાતના માથેથી ઘાત ટળી છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું બીપરજોય ગમે ત્યારે મહારાષ્ટ્ર કે ગુજરાતના દરિયાકાંઠે આવશે તેવી અટકળો થઈ રહી હતી. વાવાઝોડાની તિવ્રતા વધારે હોવાથી ઘણી જગ્યાએ દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. આ બધાની સાથે સુરક્ષા તંત્ર અને સરકાર પણ વ્યવસ્થામાં ગોઠવાઈ ગઈ હતી. તાજેતરમાં મળતી માહિતી પ્રમાણે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી આવ વાવાઝોડું ગુજરાતના તટે આવે તેવી શક્યતા ન હોવાનું અનુમાન કર્યું છે. જેથી પાંચ દિવસ સુધી ગુજરાતના દરિયામાં વાવાઝોડું ન આવે તેવી સ્થિતિ સર્જાઇ છે, હજી વાવાઝોડું છે કે નહીં તે સ્પષ્ટ થયું નથી.

હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, હાલ પૂરતું એવું કહી શકાય નહીં કે, વાવાઝોડું ફંટાયું છે, પરંતુ પાંચ દિવસ સુધી ગુજરાતના દરિયાકિનારે વાવાઝોડાની અસર દેખાશે નહીં. પાંચ દિવસ બાદ સ્પષ્ટ થશે કે, વાવાઝોડાની અસર અહીં રહેશે કે નહીં.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

આગળનો લેખ
Show comments