Webdunia - Bharat's app for daily news and videos

Install App

પરપ્રાંતીયો પર હિંસા મામલે અલ્પેશ ઠાકોર સાથે રાહુલ ગાંધીએ ફોન પર કરી વાત

Webdunia
ગુરુવાર, 11 ઑક્ટોબર 2018 (12:13 IST)
ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર હુમલામાં ઘેરાયેલા કોંગ્રેસના ધારાસભ્ય અને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વાતચીત કરી છે. અલ્પેશની સાથે વાત કર્યાના થોડા સમય બાદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ગુજરાતમાંથી લોકો મારપીટ બાદ પરત ફરી રહ્યાં છે પરંતુ વડાપ્રધાન એક શબ્દ બોલતા નથી. મહત્વનું છએ કે ઉત્તર ભારતીયો પર હુમલાના મામલામાં ધરપકડ કરાયેલા લોકોમાં ઠાકોર સેના સાથે સંબંધ હોવો અને અલ્પેશના વિવાદિત નિવેદન નિવેદન બાદ તે ઘેરાઈ ગયો છે. હજુ સુધી સામે આવ્યું નથી કે રાહુલ ગાંધી અને અલ્પેશ વચ્ચે શું વાત થઈ છે. હિંસક ઘટનાઓમાં ઠાકોર સેનાનું નામ સામે આવ્યા બાદ રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પોતાનું નિવેદન આપ્યું હતું. આ પહેલા રાજ્યમાં ઉત્તર ભારતીયો વિરુદ્ધ અલ્પેઠના નેતૃત્વમાં ચાલી રહેલું આંદોલન હિંસક થઈ ગયું અને પોલીસને ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. આ કારણે ગુજરાતમાંથી ઘણા લોકો હિરજત કરીને પોતાના વતન પરત ફરી ગયા છે. આ મામલે હાલ ગુજરાતનું રાજકારણ પણ ગરમ છે અને ભાજપ-કોંગ્રેસ એકબીજા પર પ્રહારો કરી રહ્યાં છે.આ પહેલા અલ્પેશનો એક વિવાદિત નિવેદન આપતો વીડિયો વાયરલ થયો હતો. તેમાં તે કહે છે કે બહારથી જે લોકો અહીં આવે છે અને ગુનાઓ કરે છે, તેના કારણે ક્રાઇમ વધ્યો છે અને ગામમાં ટકરાવ વધ્યો છે. તે ગામના સામાન્ય લોકોને મારે છે અને ગુનો કરીને પરત ચાલ્યા જાય છે. આ કારણે ગુજરાતીઓને રોજગાર મળતો નથી. શું આવા લોકો માટે અમારૂ ગુજરાત છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં આતંકી હુમલો, 6ના મોત, 4 ઘાયલ

દિલ્હી-NCR માં ટામેટાના ભાવ 100 રૂપિયાને પાર, સપ્લાય ઘટવાને કારણે ભાવમાં વધારો

એક પતિ, ત્રણ પત્નીઓ અને કરવા ચોથ... 13 વર્ષ પહેલા ત્રણ બહેનો સાથે લગ્ન કરનાર વ્યક્તિની વાર્તા શું છે?

લગ્નના માત્ર એક દિવસ પછી વધુએ આપ્યો બાળકીને જન્મ વરએ સાથે રાખવાની ના પાડી

દિલ્હીમાં હવામાન બદલાઈ રહ્યું હોવાથી તેની અસર હવે પ્રદૂષણ પર દેખાઈ રહી છેઃ ગોપાલ રાય

આગળનો લેખ
Show comments