Biodata Maker

શિવજીની પૂજામાં રાખો ધ્યાન, આ પ્રસાદ ખાવાથી થશો ગરીબ

Webdunia
ગુરુવાર, 11 માર્ચ 2021 (19:24 IST)
મહાશિવરાત્રીનો પર્વ 11 માર્ચ સોમવારે છે. અને શિવશકતિના મિલનનો આ દિવસ શિવભક્તો માટે ખૂબ પ્રિય છે. કાવડિયા તેમની કાવડ યાત્રા આ દિવસે પૂરી કરે છે. વ્રતધારી અને જેને વ્રત રાખ્યું હોય, તે આ દિવસે મંદિર જાય છે. પણ શિવ પ્રસાદ ગ્રહણ નહી કરે છે. શિવપુરાણ મુજબ શિવજીનો પ્રસાદ ગ્રહણ કરવાથી 
 
બધા પાપનો અંત થઈ જાય છે પણ, ધાર્મિક માન્યતા છે કે શિવલિંગની ઉપર ચઢાવેલ પ્રસાદ ગ્રહણ નહી કરવું જોઈએ, આવુ કરવાથી પાપ લાગે છે અને માણસ ગરીબે થઈ જાય છે આવો જાણી આ માન્યતા પાછળનો કારણ
 
સનાતન ધર્મમાં પ્રસાદને પૂજામાં ખૂબ મહત્વ છે. ભગવાન અને દેવોને ચઢાવેલ પ્રસાદ શુદ્ધ, પવિત્ર, રોગનાશક અને ભાગ્યવર્ધક ગણાયું છે. આ અમારા આરાધ્યનો આશીર્વાદ ગણાય છે પણ શિવજી પર ચઢાયું પ્રસાદને ગ્રહણ કરવાની મનાહી છે. 
 
માન્યતા છે કે ભૂત-પ્રેતના પ્રધાન ગણાતા ચંડેશ્વર ભગવાન શિવના મોઢાથી પ્રકટ થયા હતા તેથી શિવજીને જે પ્રસાદ ચઢાવીએ છે તે તેના ભાગમાં આવે છે. તેથી જે પણ તે પ્રસાદ ખાય છે તે ભૂત પ્રેતના અંશ ગ્રહણ કરે છે. તે કારણે શિવજીનો પ્રસાદ ગ્રહણ કરવાની ના પાડી છે. 
 
શિવપુરાણના 22મા અધ્યાયમાં જાણકારી છે કે ચંડાધિકારો યત્રાસ્તિ તદ્રોત્વયંઅ ન માનવૈ. ચંડાધિકારો નો યત્ર ભોક્તવ્યં ભક્તિત: એટલે કે જ્યાં ચંડનો અધિકાર છે, તે પ્રસાદ માણસ માટે નથી પણ જ્યાં ચંડનો અધિકાર નથી તે પ્રસાદ ગ્રહણ કરી શકાય છે. 
 
માન્યતાઓ મુજબ, શિવલિંગનો પ્રસાદ ગ્રહણ કરવું છે કે નહી. તે આ વાત પર નિર્ભર કરે કે શિવલિંગ કઈ ધાતુનો બન્યું છે, જેના પર ચંડેશ્વરનો અધિકાર નહી હોય. જણાવ્યું છે કે સાધારણ માટી, પત્થર અને ચીની માટેથી બનેલા શિવલિંગ પર ચઢેલ પ્રસાદને ગ્રહણ નહી કરવું જોઈએ. આ શિવલિંગ પર ચઢેલ પ્રસાદને જળમાં પ્રવાહિત કરી નાખવું જોઈએ. 
 
બાણલિંગના અને પારસ શિવલિંગ પર ચઢાવેલ પ્રસાદ ગ્રહણ કરવા યોગ્ય હોય છે. આ શિવલિંગ પર ચઢાવેલ પ્રસાદ પર ચંડેશ્વરનો ભાગ નહી હોય છે. તેને ગ્રહણ કરવાથી માણસ ન માત્ર દોષમુક્ત રહે છે પણ તેના જીવનની મુશ્કેલીઓ પણ નષ્ટ હોય છે. 
 
માન્યતા છે કે શિવલિંગની સાથે શાલિગ્રામની પૂજા કરવાથી પર શિવલિંગનો પ્રસાદ ખાઈ શકે છે. સાથે જ શિવલિંહની નીચે ચઢાવેલ પ્રસાદ પણ ખાઈ શકીએ છે. આ રીતે પ્રસાદ ખાવાથી કોઈ નુકશાન નહી હોય છે અને ગરીબી નહી આવે છે પણ શિવજીની કૃપા મળે છે.  
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

લીલી કે લાલ, કયા મરચા હોય છે લાભકારી, કયા Mirch નો કરવો જોઈએ ઉપયોગ ?

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

Republic Day Recipe: 26 જાન્યુઆરીના રોજ નાસ્તામાં ત્રિરંગી પેનકેક બનાવો; અગાઉથી તૈયારી કરો.

શિયાળાનું સુપરફૂડ છે મૂળા, પણ ખાતા જ થઈ જાય છે ગેસ ? આ રીતે ખાશો તો નહિ થાય બ્લોટિંગની સમસ્યા

ગુજરાતી નિબંધ - મકરસંક્રાતિ / ઉત્તરાયણ

વધુ જુઓ..

નવીનતમ

શનિ ચાલીસા ગુજરાતી - ભાવાર્થ, લાભ અને પાઠ વિધિ - Shani Chalisa Lyrics with meaning in Gujarati

Makar Sankranti Ni Katha: કેમ ઉજવાય છે મકર સંક્રાંતિ ? જાણો તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા

ઉત્તરાયણને લઇ પોલીસનું જાહેરનામું - ઉત્તરાયણના 10 દિવસ આ નિયમ તોડશો તો થશો જેલભેગા

શ્રી લક્ષ્મી ચાલીસા

Shukra Remedies: ટેન્શન, સુવિધાઓનો અને પૈસાનો અભાવ, આ છે શુક્ર દોષના સંકેત, આ 6 ઉપાયોથી તમારા શુક્રને બનાવો મજબૂત

આગળનો લેખ
Show comments