Webdunia - Bharat's app for daily news and videos

Install App

કમોસમી વરસાદને કારણે અમદાવાદમાં બે દિવસમાં 90 વૃક્ષો ઉથલી પડયા

Webdunia
મંગળવાર, 23 મે 2017 (14:15 IST)
અમદાવાદમાં એક તરફ માનવ આરોગ્ય માટે જરૃરી ગ્રીનકવર્ડ ઘટતું જાય છે ત્યારે રવિવાર અને સોમવારે આવેલા હવામાનમાં તોફાની પલ્ટાના કારણે બે દિવસ દરમ્યાન 90  જેટલા વૃક્ષો ઉથલી પડયા છે. લાલ દરવાજા એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે ધરાશાયી થયેલા વૃક્ષ નીચે એક મહિલાને ઈજા થઈ હતી. કેટલાક સ્થળે વાહનો અને ફેરિયાઓની હાથલારીઓ દબાઈ ગઈ હતી. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે રવિવારે સાંજના ફૂંકાયેલા વાવાઝોડા દરમ્યાન જુદા જુદા વિસ્તારોમાં થઈને ૩૧ વૃક્ષો તૂટી પડયા હતા.

જેના નિકાલમાં આજે દિવસભર મ્યુનિ. તંત્ર દોડતું રહ્યું હતું. જ્યારે આજે સોમવારે સાંજના વાવાઝોડા સાથેના વરસાદ બાદ બગીચા ખાતુ અને ફાયર બ્રિગેડમાં ઉપરાઉપરી વૃક્ષો ઉથલી પડયાના ફોન આવવા માંડયા હતા. માત્ર ફાયર બ્રિગેડમાં જ ૨૩ જેટલા ફોન આવી ગયા હતા. બગીચા ખાતાના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે આજે ૬૦થી વધુ વૃક્ષો ઉથલી પડયા હશે તેમ જમા છે. આમ બે દિવસમાં વૃક્ષો તૂટી પડવાની સંખ્યા ૯૧ની ઉપર થવા જાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના તે એરપોર્ટ અને ઇન્દિરા બ્રિજના રોડ ઉપર જ ૧૪ વૃક્ષો ઉથલી પડયા છે, જેને તાબડતોબ હટાવવા મ્યુનિ. તંત્ર કામે લાગ્યું છે. ઉપરાંત મ્યુનિ. કોર્પોરેશનના રોડ ઉપર એક વૃક્ષ નીચે કાર દબાઈ ગઈ છે. અસારવામાં પણ આવી જ ઘટના બની હોવાનું નોંધાયું છે. વૃક્ષો તૂટી પડવાના કારણે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. લાલ દરવાજા સિટી બસના રૃટ પર કમ્પાઉન્ડ વોલ તોડીને વૃક્ષ તૂટી પડતાં બસોની લાઇન લાગી હતી. મ્યુનિ. દ્વારા હાલ ઠેર ઠેર રોડ અને ગટર- પાણીની લાઇનોના કામે ચાલી રહેલ છે. કેટલાક ઠેકાણે આ માટે ખોદકામ થયું હોવાથી વૃક્ષોની આસપાસ પોલાણ સર્જાયું હતું. વૃક્ષો વધુ સંખ્યામાં પડવાનું એક કારણ એ પણ છે ઉપરાઉપરી ફોનની ઘંટડીઓ રણકતી હોવાથી બગીચા ખાતું અને ફાયરબ્રિગેડની ગાડી દોડતી થઈ છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તુર્કીમાં આતંકવાદી હુમલાને લઈને મોટું અપડેટ, અત્યાર સુધીમાં 5ના મોત; 22 લોકો ઘાયલ

હરણી બોટકાંડ પછી શૈક્ષણિક પ્રવાસોને લઈને કડક નિયમો લાગૂ, સરકારની મંજૂરી વગર બહાર જવા પર પ્રતિબંધ

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત

વાવાઝોડા 'દાના'નો કહેર: આગામી 24 કલાક ખતરનાક, રેડ એલર્ટ જારી, તોફાની પવન સાથે ભારે વરસાદ

આઈસ્ક્રીમ મોંઘી થશે, હવે તમારે 18 ટકા જીએસટી ચૂકવવો પડશે

આગળનો લેખ
Show comments