Webdunia - Bharat's app for daily news and videos

Install App

બોટ અને ડેકના ઠેકાણા નથીને ભાવનાગર-ઘોઘા વચ્ચે ઉતાવળે રો-રો ફેરીનું ઉદ્ઘાટન થશે

Webdunia
શુક્રવાર, 13 ઑક્ટોબર 2017 (13:13 IST)
ગુજરાતમાં ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ સરકાર  મતદારોને આકાર્ષવા માટે અનેક જાહેરાતો કરી રહી છે. વડાપ્રધાન મોદી આગામી 17 ઓક્ટોબરે ભાવનાગર-ઘોઘા વચ્ચે ઉતાવળે રો-રો ફેરીનું ઉદ્ઘાટન કરશે. તેટલું જ નહીં તેઓ એક પેસેન્જર બોટમાં બેસીને ઘોઘાથી દહેજ સુધીનો પ્રવાસ પણ ખેડશે. તેમજ ભાવનગર અને ભરુચ ખાતે તેઓ એક લાખથી વધુ લોકોની મેદનીને સંબોધીત કરશે. ભાજપને આ યોજનાથી સૌરાષ્ટ્રના ભાવનગર અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં લાભ મળશે તેવી આશા છે.જોકે મહત્વની વાત તો એ છે કે કેટલાક ટેક્નિકલ પાસાઓના કારણે, ઘાઘા સાઇટ પર કામ પૂર્ણ થયું ન હોવાથી અને રો-રો ફેરી માટે જરુરી બોટ હજુ સુધી ઉપલબ્ધ ન થઈ હોવા છતા અધૂરા કામ વચ્ચે પણ ચૂંટણીલક્ષી આ યોજાનાનું ઉદ્ઘાટન કરી દેવામાં આવશે. આ માટે બે પેસેન્જર બોટને હાલના તબક્કે ઉપયોગ કરવામાં આવશે. જે સપ્તાહના અંત પહેલા ઘોઘા ખાતે પહોંચી જશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, તેણે છોકરીને કરી પ્રેગનેંટ

આગળનો લેખ
Show comments