Webdunia - Bharat's app for daily news and videos

Install App

15 Health Tips for a Healthy Lifestyle: સ્વસ્થ રહેવા માટે આ 15 નિયમોનું પાલન કરો

Webdunia
શુક્રવાર, 16 ડિસેમ્બર 2022 (06:05 IST)
સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી છે. આધુનિક યુગમાં, ખરાબ જીવનશૈલીના કારણે, આપણે બિનઆરોગ્યપ્રદ રહેવાનું શરૂ કર્યું છે. આ બધાના કારણે આપણને વિવિધ પ્રકારની બીમારીઓ થાય છે, તેથી સ્વસ્થ રહેવા માટે આપણી જાતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. 
 
જો આપણે આપણા રોજિંદા જીવનમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખીએ તો આપણે સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ. આજે આ લેખમાં અમે એવા જ કેટલાક નિયમો જણાવીશું જે સ્વસ્થ રહેવા માટે જરૂરી છે. તો ચાલો જાણીએ નિયમો 
 
1.) કબજિયાતથી પીડાતા લોકોએ સાંજે પપૈયાનું સેવન કરવું જોઈએ. ફાઈબરયુક્ત પદાર્થોનું સેવન કરવાથી કબજિયાતમાં પણ રાહત મળે છે.
2.) દાંતને સ્વસ્થ અને સ્વચ્છ રાખવા માટે રાત્રે સૂતા પહેલા દાંત સાફ કરવા જોઈએ. તે પછી એક ગ્લાસ પાણી પીને જ સૂવું જોઈએ.
3.) ખોરાક લેતી વખતે વધારે પાણી ન પીવું જોઈએ. વચ્ચે વચ્ચે માત્ર એક જ વાર પાણી પીવું જોઈએ. જો શક્ય હોય તો, ખોરાક ખાધાના અડધા કલાક પછી પાણી પીવો.
4.) દરરોજ યોગ કરવું આપણા શરીર માટે ફાયદાકારક છે. તે આપણને ગંભીર રોગોથી પણ બચાવી શકે છે.
5.) ફ્રીજમાં રાખેલ ઠંડુ પાણી પીવાનું ટાળો. તે માત્ર ગળા માટે જ હાનિકારક નથી પરંતુ આપણા શરીરને પણ નુકસાન પહોંચાડે છે.
6.) બહારથી આવ્યા પછી, બહારની વસ્તુઓને સ્પર્શ કર્યા પછી, ઘરમાં રસોઈ બનાવતા પહેલા, ખોરાક લેતા પહેલા, હાથને સારી રીતે ધોવા જોઈએ.
7.) જો ઘરમાં નાના બાળકો અને વૃદ્ધો હોય તો સ્વચ્છતાનું વધુ ધ્યાન રાખવું જોઈએ કારણ કે બાળકો અને વૃદ્ધોને બીમારીઓ સરળતાથી થઈ જાય છે.
8.) ઘરની સફાઈ સાવરણી, પોતું, જાળા સાફ કરવાણી સાવરણી વગેરેથી કરવી જોઈએ. કુલરમાં કે કોઈપણ ખાડામાં પાણીને લાંબો સમય સુધી સ્થિર ન રહેવા દેવુ જોઈએ. તેના કારણે ત્યાં મચ્છર અને જીવજંતુઓ વધે છે જે આપણા માટે હાનિકારક છે, તેથી આપણે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ
9.) ફિનાઈલ વગેરે ઉમેરીને ફ્લોરની સફાઈ કરવી જોઈએ. શૌચાલય અને બાથરૂમ હંમેશા સ્વચ્છ રાખવા જોઈએ. અહીંથી ચેપનું જોખમ વધારે છે.
10.) ખોરાકમાં પૌષ્ટિક ખોરાક, દૂધ, દહીં, સલાડ, ફળો, અનાજ, લીલા શાકભાજી વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. શાકભાજીનો ઉપયોગ હંમેશા ધોયા પછી જ કરવો જોઈએ.
11.) ખોરાક રાંધવા માટે સોયાબીન તેલ, સૂર્યમુખી તેલ, મકાઈ અથવા ઓલિવ તેલને પ્રાધાન્ય આપવું જોઈએ.
12.) વ્યક્તિએ લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસવું જોઈએ નહીં.
13.) પર્યાવરણમાં વિવિધ પ્રકારના વાઈરસ વિકસી રહ્યા છે જેનાથી આપણે આપણી જાતને બચાવવી જોઈએ. આ જીવલેણ સાબિત થઈ રહ્યા છે. આપણે આપણી જાતને અને આપણી આસપાસના લોકોને કેવી રીતે સુરક્ષિત રહેવું તે અંગે શિક્ષિત કરવું જોઈએ. લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા જોઈએ.
14.) શરીરને વિટામિન ડીની જરૂર છે જે હાડકાંને મજબૂત રાખે છે. આપણે સવારે બે થી ત્રણ કલાક સૂર્યપ્રકાશ લેવો જોઈએ.
15.) શિયાળામાં ડ્રાય ફ્રૂટ્સ ખાવા જોઈએ પણ ઓછી માત્રામાં. અખરોટ સેલેનિયમનો સારો સ્ત્રોત છે, તેથી અખરોટનું સેવન કરવું પણ ફાયદાકારક છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

Diwali 2024 Puja Muhurat - દિવાળીના પાંચ દિવસના શુભ મુહુર્ત

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

આગળનો લેખ
Show comments