Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટનું બસ ડેપો મુસાફરોથી ઉભરાયો:દિવાળીમાં લોકોએ વતનની વાટ પકડતા મોટાભાગની બસો હાઉસફૂલ

Webdunia
ગુરુવાર, 9 નવેમ્બર 2023 (16:50 IST)
તહેવારોમાં વતન જવા માગતા લોકોનો ભારે ધસારો બસ સ્ટેશનો ઉપર પણ દેખાવા લાગ્યો છે. આજરોજ સવારથી રાજકોટ એસટી બસપોર્ટ અને રાજકોટ ડિવિઝનના 9 ડેપો પર મુસાફરોની ભીડ જોવા મળી હતી. આજથી એસટી વિભાગ દ્વારા 150 જેટલી એકસ્ટ્રા બસો શરૂ કરવામાં આવનાર છે. લોકોની ભીડમાં વધારો થતાં મોટાભાગની બસોનાં બુકિંગ ફૂલ થયા હતા.

50 કરતા વધારે મુસાફરો કોઈ સ્થળે જવા ઇચ્છશે તો એક્સ્ટ્રા બસ મૂકવાની તૈયારી એસટી વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે.એસટી વિભાગના ટ્રાફિક કંટ્રોલર વી.બી. ડાંગરનાં જણાવ્યા મુજબ હાલ દિવાળીનાં તહેવારને લઈને લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જેમાં દાહોદ, ગોધરા અને સુરતના રૂટો ઉપર સૌથી વધુ ટ્રાફિક જોવા મળતા હાલ 70 જેટલી એક્સ્ટ્રા બસો શરૂ કરી દેવામાં આવી છે.

તેમજ ટૂંક સમયમાં સૌરાષ્ટ્રનાં જામનગર, જૂનાગઢ, સોમનાથ, દ્વારકા, અમરેલી, સાવરકુંડલા અને સાળંગપુર સહિતના સ્થળોએ પણ 80 જેટલી વધારાની બસો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે.જરૂર પ્રમાણે એક્સ્ટ્રા બસો મૂકવાની તૈયારી પણ કરવામાં આવી છે. જેમાં 50 કરતા વધારે મુસાફરો કોઈ સ્થળે જવા ઇચ્છશે તો એક્સ્ટ્રા બસ મૂકવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, એસટી વિભાગ દ્વારા યુપીઆઈ દ્વારા પેમેન્ટ પણ સ્વીકારવામાં આવી રહ્યું છે અને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. દરરોજ અંદાજે રૂ. 3 લાખ કરતા વધુ રકમનું પેમેન્ટ યુપીઆઈ મારફત મળી રહ્યું છે. આ તહેવારોમાં મુસાફરોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી થાય નહીં તેમજ એસટી વિભાગને સારી આવક થાય તેવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments