પાથરી દઉ દિલ અને પછી તેમા મારી લાગણી રોપી દઉ !!
આ ખેડૂતની પત્નીનું ૧૭ વર્ષ અગાઉ નિધન થઇ થયું હતું. આ બાદ એક દિવસ તે પોતાના ૬ એકરના ખેતરમાં ઉદાસ બનીને ફરી રહ્યો હતો ત્યારે તેને પોતાનું આ ખેતર દિલ આકારના બગીચામાં પરિવર્તિત કરવાનો વિચાર આવ્યો હતો. પોતાના આ વિચારથી રોમાંચિત થઇ ઉઠેલા આ ખેડૂતે નવેસરથી જ છોડ રોપવાનું શરૂ કર્યું.
૧૭ વર્ષના પરિશ્રમ બાદ હવે આ ખેતરમાં દિલની આકૃતિ બની ગઇ છે. હવે આલમ એ છે કે રોજના સેંકડો લોકો પ્રેમના આ બગીચાને જોવા આવી રહ્યા છે.