Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ratan Tata Death: આખા તાજ હોટલને બમથી ઉડાવી નાખો 26/11 ના આંતકી હુમલા પર રતન ટાટાએ બધાનુ દિલ જીતી લીધુ હતુ

Webdunia
ગુરુવાર, 10 ઑક્ટોબર 2024 (13:34 IST)
Ratan Tata Death 26/11 Mumbai Attack - મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલામાં આતંકવાદીઓએ હોટેલ તાજને પણ નિશાન બનાવ્યું હતું, જેના વિશે રતન ટાટાએ પાછળથી એક ઈન્ટરવ્યુમાં ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.
 
વિશ્વના પ્રખ્યાત ઉદ્યોગપતિ અને ટાટા સન્સના માનદ અધ્યક્ષ રતન ટાટાનું 9 ઓક્ટોબર, બુધવારે 86 વર્ષની વયે અવસાન થયું. તમને જણાવી દઈએ કે ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે રતન ટાટાને થોડા દિવસો પહેલા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 
 
ફાયરિંગ સમયે રતન ટાટા હોટલ પહોંચી ગયા હતા
વર્ષ 2008 માં, 10 પાકિસ્તાની આતંકવાદીઓ દરિયાઈ માર્ગે દક્ષિણ મુંબઈમાં પ્રવેશ્યા હતા અને તાજ હોટેલ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સહિત શહેરના ઘણા મહત્વપૂર્ણ સ્થળો પર હુમલો કરીને અરાજકતાનું વાતાવરણ સર્જ્યું હતું. રતન ટાટા તે સમયે 70 વર્ષના હતા અને ફાયરિંગ સમયે તેઓ તાજ હોટલના કોલાબા છેડે ઉભા જોવા મળ્યા હતા. 
 
એક ઈન્ટરવ્યુમાં રતન ટાટાએ કહ્યું કે કોઈએ તેમને ફોન કરીને જાણ કરી કે હોટલની અંદર ગોળીબાર થઈ રહ્યો છે, ત્યારબાદ તેમણે તાજ હોટલના સ્ટાફને ફોન કર્યો, પરંતુ કોઈએ તેમનો ફોન રિસીવ કર્યો નહી. 
 
'સમગ્ર મિલકતને ઉડાવી દો' 
રતન ટાટાએ જણાવ્યું હતું કે આ પછી તેઓ કાર લઈને તાજ હોટલ જવા નીકળ્યા હતા, પરંતુ અંદરથી ગોળીબાર થઈ રહ્યો હોવાથી તેમને અંદર જતા અટકાવવામાં આવ્યા હતા. તે ઈન્ટરવ્યુમાં રતન ટાટાએ ખુલાસો કર્યો હતો કે તેમણે સુરક્ષાકર્મીઓને કહ્યું હતું કે, "એક પણ આતંકવાદીને જીવતો ન છોડવો અને જો જરૂરી હોય તો આખી સંપત્તિને ઉડાવી દો."

Edited By - Monica Sahu
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Velavadar Blackbug National Park: દિવાળી પહેલા ખુલી જશે ગુજરાતનુ આ નેશનલ પાર્ક જાણો ઑનલાઈન બુકિંગ

Ratan Tata Death News LIVE: રતન ટાટાને યાદ કરીને ભાવુક થઈ રહી છે મોટી-મોટી હસ્તીઓ, સાંજે 4 વાગે થશે અંતિમ સંસ્કાર

પારસીઓ મૃતદેહને સળગાવતા કે દફનાવતા નથી, જાણો કેવી રીતે થશે રતન ટાટાના અંતિમ સંસ્કાર

Varanasi Accident- માતાજીના દર્શન કરી પરત ફરતા સમયે ડંપરથી અથડાવી કાર 4 લોકોની મોત

મીઠાથી જહાજ સુધી...દરેક ઘરમાં છે TATA, 365 બિલિયન ડૉલરનો કારોબાર કોઈ આમ જ સ્થાપિત નહોતો થયો, રતન ટાટાએ મજૂરોની જેમ કામ કરીને ઊભું કર્યું મોટું સામ્રાજ્ય

આગળનો લેખ
Show comments