Webdunia - Bharat's app for daily news and videos

Install App

સચિન અને કાંબલીના કોચ રમાકાંત આચરેકરનું 87 વર્ષની વયે મુંબઇમાં નિધન

Webdunia
ગુરુવાર, 3 જાન્યુઆરી 2019 (10:07 IST)
ભારતના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરના કોચ રમાકાંત આચરેકરનું 87 વર્ષની વયે બુધવારે મુંબઇમાં નિધન થઇ ગયું છે. તેમનું નિધન મુંબઈના દાદરમાં શિવાજી પાર્ક નજીક આવેલા તેમના નિવાસસ્થાને થયું છે. આચરેકર લાંબા સમયથી બિમાર હતાં. રમાકાંતના નિધનની તેમની પત્ની રશ્મી દેવીએ જાહેરાત કરી છે. તેંડુલકરને બાળપણની લઈને ક્રિકેટના ભગવાન બનાવવા આચરેકરનું મોટું યોગદાન રહ્યું છે. સચિને શરુઆતના દિવસોમાં આચરેકર પાસેથી ક્રિકેટ શીખ્યો અને તેની સાથે સાથે પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી પણ ટ્રેનિંગ લેતા હતા. આચરેકરને દ્રોણાચાર્ય એવોર્ડ અને પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
આચરેકરને ક્રિકેટમાં આપવામાં આવેલા યોગદાન બદલ વર્ષ 2010માં પદ્મશ્રી અને દ્રોણાચાર પુરસ્કાર (1990મા)થી સન્માનિત કરવામાં આવી ચુક્યા છે. રમાકાંત આચરેકરના કોચિંગમાં જ સચિન તેંડુલકર, વિનોદ કાંબલી, સમીર દીઘે, પ્રવીણ આમરે, ચંદ્રકાંત પંડિત અને બલવિંદર સિંહ સંધૂ જેવા અનેક દિગ્ગજ ક્રિકેટરો દેશને આપ્યા. આચરેકરના નિધનના સમાચારથી ભારતીય ક્રિકેટ જગતમાં શોકની લહેર છવાઈ ગઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ આચરેકરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments