Webdunia - Bharat's app for daily news and videos

Install App

Morbi Live: PM મોદી આજે મોરબીની મુલાકાતે, પુલ અકસ્માતમાં ઘાયલ અને મૃતકોના પરિવારજનોને મળશે

Webdunia
મંગળવાર, 1 નવેમ્બર 2022 (09:02 IST)
Morbi Live:  મોરબી અકસ્માતના કારણે ગુજરાત સહિત સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. નોંધનીય છે કે ગુજરાતના મોરબીમાં કેબલ બ્રિજ ધરાશાયી થવાના કારણે થયેલા અકસ્માતમાં અત્યાર સુધીમાં 134 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ઘણા લોકો હજુ પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. દરમિયાન આજે પીએમ મોદી બપોરે 3 વાગે મોરબી જશે. અહીં તે પુલ દુર્ઘટનામાં ઘાયલ થયેલા અને મૃતકોના પરિવારજનોને મળશે અને પરિસ્થિતિનો તાગ મેળવશે.
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાના થરાદથી રૂપિયા 8034 કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને જાહેરાત કરી હતી. ગઈકાલે મોરબીમાં બનેલી ઘટના અંગે વડાપ્રધાને દુઃખ વ્યકત કર્યું હતું અને કહ્યું હતું કે, આ મામલે સરકાર તરફથી કોઈ કસર છોડવામાં આવશે નહીં
 
- મોરબીમાં બચાવ કામગીરી ફરી શરૂ
ભારતીય નૌકાદળ અને NDRF દ્વારા મોરબીના સ્થળ પર ફરી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
 
- PM મોદી મોરબીમાં પણ અધિકારીઓ સાથે બેઠક કરશે
PM મોદી મોરબીમાં અધિકારીઓ સાથે બેઠક કરશે અને અકસ્માત સ્થળની પણ મુલાકાત લેશે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments