Webdunia - Bharat's app for daily news and videos

Install App

પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદને શાંત પાડવા સી.આર. પાટીલ એક્ટિવ થયા

Webdunia
ગુરુવાર, 28 માર્ચ 2024 (12:28 IST)
પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદને શાંત પાડવા સી.આર. પાટીલ એક્ટિવ થયા છે. જેમાં સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજના આગેવાનોને સાથે બેઠક કરશે તેમજ આજે રાજકોટ ભાજપ કાર્યલયમાં બેઠક યોજાશે.અમદાવાદ ખાતે પણ ક્ષત્રિય સમાજ 70 સંસ્થાઓની બેઠક છે.

ભાજપમાં એક તરફ વિરોધના વંટોળ જોવા મળી રહ્યા છે. આ વચ્ચે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ એક્ટિવ થયા છે અને તેમણે સૌથી પહેલા પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ શાંત પાડવા માટે એક્ટિવ થયા છે. આ વિવાદને શાંત પાડવા માટે રાજકોટ ખાતે સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક બોલાવી છે.રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજા રજવાડા પર કરવામાં આવેલી ટિપ્પણી મામલે વિવાદ ઊભો થયો છે. જેના મામલે પુરુષોત્તમ રૂપાલા દ્વારા માફી માગવામાં આવી તેમ છતાં પણ વિવાદ શાંત થઈ રહ્યો નથી.

આ વચ્ચે સી.આર.પાટીલે વિવાદ શાંત કરવા માટે સક્રિય બની રહ્યા છે. એક તરફ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનોને જવાબદારી સોંપવામાં આવી શકે છે. જેના સાથે જ અમદાવાદ ખાતે પણ ક્ષત્રિય સમાજના 70 સંસ્થાઓની સાથે બેઠક કરશે અને તેમની સાથે ચર્ચા કરવામાં આવશે.તાજેતરમાં ભાજપનાં રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરોધ ટિપ્પણી કરી હતી. જેને લઈને સોશિયલ મીડિયામાં ભારે વિરોધ થતા રૂપાલાએ માફી માંગતો વીડિયો પણ જાહેર કરવો પડ્યો હતો. જોકે રૂપાલાની આ માફી પણ ક્ષત્રિય સમાજને મંજુર ન હોય તેમ મોટી સંખ્યામાં રાજકોટમાં વિરોધ પ્રદર્શન કર્યું હતુ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments