Webdunia - Bharat's app for daily news and videos

Install App

રૂપાલા વિવાદમાં પોસ્ટર વોરઃ ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના કાર્યકરોએ પ્રવેશવું નહીં

Webdunia
સોમવાર, 8 એપ્રિલ 2024 (12:27 IST)
Poster war in Rupala controversy


-  પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીને લઈ ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ
- ભાજપના કાર્યકરોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું બેનર લગાવ્યું
- જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ ન રદ ન થાય ત્યાં સુધી કોઈપણ ભાજપના કાર્યકર કે આગેવાનોએ ગામમાં પ્રવેશ કરવો નહીં

લોકસભાની રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીને લઈ ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ સામે આવ્યો છે. સાઠોદ ગામના મુખ્ય દ્વાર પર રાજપૂત સમાજે જેસીબીની મદદથી ભાજપના કાર્યકરોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું બેનર લગાવ્યું છે. તેમાં સ્પષ્ટ લખ્યું છે કે, જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ ન રદ ન થાય ત્યાં સુધી કોઈપણ ભાજપના કાર્યકર કે આગેવાનોએ ગામમાં પ્રવેશ કરવો નહીં.

ગત મોડીરાત્રે ડભોઈના સાઠોદ ગામે આ બેનર જેસીબીની મદદથી લગાવવામાં આવ્યાં છે. આ દરમિયાન મોટી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજ પર થયેલી ટિપ્પણીને લઈ વિરોધ નોંધાવ્યો હતો. આ અગાઉ તાલુકાના માંડવા ગામના રાજપૂત ફળિયામાં પણ ભાજપ વિરુદ્ધ બેનર લાગ્યાં હતાં. તેમજ આગવાનો એકત્રિત થઈ પુરુષોત્તમ રૂપાલા સામે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને આ ચૂંટણી નહીં પરંતુ આવનાર દરેક ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરશે તેવું જાહેર કર્યું હતું.

આ અંગે આગેવાને જણાવ્યું હતું કે, સાઠોદ ગામનો રાજપૂત સમાજ સખત શબ્દોમાં વખોડે છે અને આજે સમાજ સહિત સાઠોદ ગામના રાજપૂત સમાજ દ્વારા ગામના સ્ટેન્ડ પર આ પોસ્ટર લગાવવામાં આવ્યાં છે. જો અમને યોગ્ય ન્યાય નહીં મળે તો ગામેગામ આ જ રીતે પોસ્ટરો લાગશે અને રૂપાલા વિરુદ્ધ મતદાન કરાવીશું. ભાજપ વિકાસની વાતો કરે છે ત્યારે રોડ-રસ્તા પર રાજપૂત સમાજ આવ્યો છે. છતાં કેમ ન્યાય મળતો નથી. અમારી માગણી વાજબી છે અને અમે કોઈ સમાજ કે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા નથી તે કરવા સરકાર મજબૂર કરી રહી છે.વધુમાં કહ્યું હતું કે, જો સરકાર પુરુષોત્તમ રૂપાલની ટિકિટ નહીં કાપે તો અમે માઈક્રો પ્લાનિંગ કરી સરકારને મોટું નુકસાન કરીશું. સાથે આગામી સમયમાં આવનાર તમામ ચૂંટણીમાં ભાજપનો બહિષ્કાર કરીશું. અમારે ન્યાય જોઈએ અને માત્ર એક જ માગ છે કે, રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે.

સંબંધિત સમાચાર

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments