Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોકસભાની ચૂંટણી 2019- રોડ શો યોજવા અંગે કોંગ્રેસે અમિત શાહ સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ કરી

Webdunia
બુધવાર, 3 એપ્રિલ 2019 (11:03 IST)
લોકસભાની ચૂંટણી પહેલા આચાર સંહિતા લાગી હોવાથી તમામ પક્ષોએ આચાર સંહિતા ભંગ ન થાય તેનું ધ્યાન રાખવું પડે છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સામે અમદાવાદ કોંગ્રેસે આચાર સંહિતા ભંગની ફરિયાદ કરી છે. કોંગ્રેસ ચૂંટણી પંચને આ ફરિયાદ કરી છે. તો બીજી તરફ અમિત શાહ આવતી કાલે એટલે કે બુધવારે સાંજે અમદાવાદ આવનાર છે. અને ઉમેદવારી પ્રક્રિયા બાદની સ્થિતિની સમીક્ષા કરવાના છે.  તાજેતરમાં અમિત શાહે અમદાવાદમાં રોડ શો યોજ્યો હતો. અને તેમણે ગાંધીનગર ખાતે લોકસભાની બેઠક માટે ઉમેદવારી નોંધાવી હતી. અમિત શાહનારોડ શો દરમિયાન આચાર સંહિતાનો ભંગ થયો હોવાનો કોંગ્રેસની ફરિયાદ છે. રોડ શો દરમિયાન હોસ્પિટલો પાસે લાઉડ સ્પીકરની મંજૂરી આપવામાં આવી હતી. સાથે સાથે જાહેર માર્ગ ઉપર લોકો માટે બંધ કરાયા હતા. આમ અમિત શાહના રોડ શો દરમિયાન આચાર સંહિતનાો ભંગ થયો હતો. આ અંગે કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે અને તાત્કાલીક ધોરણે પગલા લેવા માટે ચૂંટણી પંચ સમક્ષ માગ કરી છે. આ ઉપરાંત અમિત શાહ આવતી કાલે બુધવારે ફરીથી અમદાવાદ આવનારા છે. મળતી માહિતી પ્રમાણે અમિત શાહ ઉમેદવારી પ્રક્રિયા બાદની સ્થિતિની સમીક્ષા કરવા માટે બેઠક બોલાવી શકે છે.
 
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments