Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાહુલ ગાંધીએ 1984 શીખ રમખાણો ગણાવ્યા ભયંકર, પિત્રોડાએ માફી માગી

Webdunia
શનિવાર, 11 મે 2019 (11:22 IST)
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને સલાહકાર સૅમ પિત્રોડાના 1984ના નિવેદન પર વિવાદ થતાં કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું કે હું માનું છું કે 1984માં જે થયું તે ભયંકર ત્રાસદાયક હતું. સૅમ પિત્રોડાએ માફી માગવી જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું કે આ તોફાનોના દોષિતોને સજા મળવી જોઈએ. પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે આ મુદ્દે માફી માગી છે, મારા માતા સોનિયા ગાંધીએ પણ માફી માગી છે અને આ મુદ્દે અમારા વિચારો સ્પષ્ટ છે.
 
સૅમ પિત્રોડાએ આ પોતાના નિવેદન મામલે માફી માગી લીધી હતી. તેમણે કહ્યું કે એમની હિન્દી ખરાબ છે અને તેમનાં નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું.
એમણે કહ્યું કે તેઓ 'જે થયું તે ખરાબ થયું' એમ કહેવા માગતા હતા પરંતુ ખરાબ શબ્દનો અનુવાદ તેમને એ વખતે ન સૂઝ્યો.
 
ઉલ્લેખનીય છે કે સૅમ પિત્રોડાએ એક પત્રકારને એમ કહ્યું હતું કે '1984માં જે થયું તે થયું ગત પાંચ વર્ષમાં શું થયું એના પર વાત કરો.'
 
પિત્રાડાના આ નિવેદનને નરેન્દ્ર મોદી સહિત ભાજપે ઝડપી લીધું અને એને લઈને વિવાદ ઊભો થયો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Maharashtra Election: કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

આગળનો લેખ
Show comments