Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલના નામે છેતરપિંડીનો પ્રયાસ, નેતાઓના ઘરે પાર્સલ મોકલી 1500 રૂપિયા માંગ્યા

Webdunia
શનિવાર, 7 ઑક્ટોબર 2023 (19:18 IST)
CR Patil
નવસારી અને નડિયાદમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના નામનો દુરુપયોગ કરી છેતરપિંડીનો પ્રયાસ થયો હોવાનું સામે આવ્યું છે. નવસારીમાં રહેતા ગુજરાત ભાજપના પ્રદેશ મંત્રી શીતલ સોની અને નડિયાદમાં રહેતા પ્રદેશ મંત્રી જાનવી વ્યાસના ઘર પર પાર્સલ મોકલવામાં આવ્યું હતું, જે છોડાવવા માટે 1500 રૂપિયાની માગણી કરવામાં આવી હતી. આ બાબતે નેતાઓને શંકા જતાં પાટીલની ઓફિસ પર સંપર્ક કરવામાં આવ્યો તો માલૂમ પડ્યું હતું કે ત્યાંથી કોઈ પાર્સલ મોકલવામાં જ આવ્યું નથી, જેથી મહિલા નેતાઓ છેતરાતાં બચી ગયાં હતાં.

આ પ્રકારની છેતરપિંડી અન્ય કાર્યકર્તાઓ કે નેતાઓ સાથે ન થાય એ માટે મહિલા નેતા શીતલ સોની અને જાનવી વ્યાસ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટ કરી તમામને એલર્ટ પણ કરવામાં આવ્યા છે. પ્રદેશ મંત્રી શીતલ સોનીનું કહેવું છે કે પ્રદેશ ભાજપની ઓફિસ પરથી કોઈ પાર્સલ આવે અને એ છોડાવવા માટે પૈસા માગવામાં આવે એવું બને જ નહીં. આ બાબતે તેમને શંકા જતાં સી.આર.પાટીલની ઓફિસ પર ફોન કરી તપાસ કરવામાં આવી હતી, જેથી ખબર પડી હતી કે ત્યાંથી કોઈ પાર્સલ મોકલવામાં જ આવ્યું નથી. આ જાણકારી મળ્યા બાદ શીતલ સોની દ્વારા પાર્સલનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો.અન્ય કોઈ નેતા કે કાર્યકર્તા સાથે આ પ્રકારનો બનાવ બનતો અટકે એ માટે તેમના દ્વારા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી તમામને જાગ્રત કરવામાં આવ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે આજે મારા પર પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના નામથી એક પાર્સલ આવ્યું, જેમાં 1500 રૂપિયા આપીને છોડાવવા માટે કહ્યું હતું. જો કે મારી પ્રદેશ પ્રમુખના કાર્યાલય પર અને તેમની સાથે વાત થતાં તેમણે જણાવ્યું હતું કે આવું કોઈ પાર્સલ ત્યાંથી મોકલવામાં આવ્યું નથી, આથી આપ સૌને જાણ કરું છું કે આવું કોઈ પાર્સલ તમારા પાસે આવે તો તે એક ફ્રોડ છે, પૈસા આપીને છોડાવશો નહીં. કેસ ઓન ડીલવરી હોય શંકા જતાં અમે આ પાર્સલ તોડ્યુ નહોતું અને તેને રીર્ટન કરી દીધુ હોવાની વાત જણાવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

પુણેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

આગળનો લેખ
Show comments