Webdunia - Bharat's app for daily news and videos

Install App

યુવરાજસિંહના કેસમાં કોંગ્રેસે ઝંપલાવ્યું, યુનિવર્સિટી પાસે સુત્રોચ્ચાર કરી યુવરાજને મુક્ત કરવા માંગ કરી

Webdunia
શનિવાર, 22 એપ્રિલ 2023 (16:14 IST)
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ભાવનગર પોલીસે ધરપકડ કરતા મામલો ગરમાયો છે. NSUI દ્વારા આજે અમદાવાદમાં યુવરાજસિંહની ધરપકડ મામલે વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટી પાસે જાહેર રોડ પર વિરોધ કરી રહેલા NSUIના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.યુવરાજસિંહ જાડેજાની ભાવનગર પોલીસે ગઈકાલે પૂછપરછ બાદ ધરપકડ કરી છે.

યુવરાજસિંહની ધરપકડને લઈને અનેક સંગઠનોએ વિરોધ કર્યો છે ત્યારે અમદાવાદમાં પણ NSUIના કાર્યકરોએ વિરોધ કર્યો હતો. ગુજરાત યુનિવર્સિટી પાસે દાદા સાહેબના પગલાં પાસે NSUIનાં કાર્યકરો સુત્રોચાર સાથે વિરોધ કરી રહ્યા હતા. યુવરાજસિંહને મુક્ત કરવાની પણ NSUIના કાર્યકરોએ માંગણી કરી હતી. રોડ રસ્તા બંધ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો પરંતુ, પોલીસે વિરોધ કરી રહેલા તમામ કાર્યકરોની અટકાયત કરી હતી.NSUIના નેતા વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, યુવરાજસિંહ જાડેજા વિદ્યાર્થીઓનાં હિતમાં કામ કરે છે. પૂર્વ મંત્રીઓનાં નામ આપતા યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી છે. સરકાર અપરાધીઓને ફરિયાદી અને ફરિયાદીઓને અપરાધી બનાવી રહી છે. યુવરાજસિંહને તાત્કાલિક મુક્ત કરવામાં આવે જો યુવરાજસિંહને છોડવામાં નહિ આવે તો NSUI ઉગ્ર આંદોલન કરશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

પુણેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

આગળનો લેખ
Show comments