Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાપીમાં 6 બુકાનીધારીઓએ 8 કરોડના સોના સહિત 10 કરોડની લૂંટ ચલાવી

Webdunia
ગુરુવાર, 9 જાન્યુઆરી 2020 (13:03 IST)
વાપી શહેરના ભરચક ગણાતા ચણોદ વિસ્તારમાં આવેલા આઈઆઈએફએલ ગોલ્ડ લોન અને ફાયનાન્સની ઓફિસમાં કર્મચારીઓને બંધક બનાવીને રૂપિયા 10 કરોડની લૂંટ થઈ છે. લૂંટારાઓ કર્મચારીઓને સેલો ટેપથી બાંધીને 8 કરોડના સોના સહિત 10 કરોડની લૂંટ ચલાવીને માત્ર 10 મિનિટમાં નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને જિલ્લા સહિત મહારાષ્ટ્રની બોર્ડર પર અને નજીકના પોલીસ સ્ટેશનમાં નાકાબંધીની સૂચના આપી દેવામાં આવી છે. લૂંટની વધારે વિગતો મેળવાઈ રહી છે. વાપીના ચણોદ વિસ્તારમાં ચંદ્રલોક એપાર્ટમેન્ટના પહેલા માળે IIFL ગોલ્ડ લોન બેંકમાં આજે સવારે પોણા 10 વાગ્યાની આસપાસ એક બાદ એક 6 જેટલા બુકાનીધારી ઘૂસ્યા હતા. બુકાનીધારી શખ્સોએ રિવોલ્વર તેમજ ઘાતક હથિયારો બતાવી કર્મચારીઓને સેલો ટેપથી બાંધીને બંધક બનાવ્યા હતા. લોકરની ચાવીઓ લઈ લોકર ખોલી અંદર રહેલું આશરે 8 કરોડથી વધુનું સોનું લૂંટીને તમામ લૂંટારુંઓ ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે એસપી તેમજ વાપી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આશરે 10થી 15 મિનિટમાં જ લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો. લૂંટારુઓએ મોઢે બુકાની બાંધી હતી અને જેકેટ પહેર્યા હતા તેમજ લેંઘો અને ઝભ્ભા પહેર્યા હોવાનું કર્મચારીઓએ પોલીસને જણાવ્યું હતું. ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં તેમજ આસપાસના પાડોશી રાજ્યોની નાકાબંધીની જાણ કરવામાં આવી છે. તેમજ સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે વધારે તપાસ હાથ ધરી છે. વાપીના ચણોદ વિસ્તારમાં આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સના બીજા માળે આવેલી આઈઆઈએફએલ ગોલ્ડ લોન અને ફાયનાન્સની ઓફિસમાં સવારના સમયે ઓફિસ ખુલી હતી એ દરમિયાન લૂંટારુંઓએ કર્મચારીઓને બંધક બનાવી લઈને હથિયારો દેખાડી રોકડ અને દાગીનાની લૂંટ ચલાવી હતી. આશરે 10 કરોડથી વધુના મુદ્દામાલની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ ગયાં હતાં. ભરચક વિસ્તારમાં દોળા દિવસે થયેલી લૂંટને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડના એસપી સુનિલ જોશીએ જણાવ્યું હતું કે, આઈઆઈએફએલ ખાનગી ગોલ્ડ લોન અને ફાયનાન્સની ઓફિસમાંથી લૂંટનો બનાવ બન્યો છે. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે અને મહારાષ્ટ્રની બોર્ડર સહિત જિલ્લા અને રાજ્યમાં પણ નાકાબંધી કરવા સૂચના આપી દેવામાં આવી છે. ઓફિસની બહાર ખાનગી સિક્યુરિટી હોવા છતાં કર્મચારીઓને બંધક બનાવી લૂંટવામાં આવ્યાં છે આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતમાં ગેરકાયદે બાંધકામ સહિતની બાબતો પર કડક કાર્યવાહી કરવામાં આવશે, CM ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને સૂચના

સુરતમાં પાકિંગને લઈને થયા વિવાદમાં એક માણસની મોત

જે લોકો મૂવી જોતી વખતે રડે છે તેમના ઓછી ઉમ્રમાં મૃત્યુની શક્યતા વધુ હોય છે

જો આજે નમાજ થઈ તો... ઉત્તરકાશીમાં ધારા 163, મસ્જિદને લઈને વધ્યો વિવાદ

આ રાજ્યમાં 2 હજારથી વધુ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

આગળનો લેખ
Show comments