Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકિસ્તાનમાં થયો બ્લાસ્ટ, 35 થી વધુ લોકોના માર્યા જવાના સમાચાર

Webdunia
રવિવાર, 30 જુલાઈ 2023 (20:28 IST)
latest news gujarati
પાકિસ્તાનમાં એક વાર ફરીથી મોટો બોમ્બ બ્લાસ્ટ થયો છે. આ બોમ્બ વિસ્ફોટમાં 35થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ સાથે જ આ બોમ્બ બ્લાસ્ટને કારણે 200થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના બાજૌર વિસ્તારમાં જમીયત ઉલેમા-એ-ઇસ્લામ-ફઝલ (JUI-F)ની બેઠક યોજાઈ રહી હતી. આ મીટીંગમાં હાજરી આપવા ઘણા કાર્યકરો આવ્યા હતા.

<

FLASH: In Pakistan's northwestern Bajur district, at least 39 people have been killed and over 200 are wounded after a bomb exploded during a political rally. Stay tuned: https://t.co/bqMS82wkBv

— Steve Hanke (@steve_hanke) July 30, 2023 >
 
બોમ્બ વિસ્ફોટ બાદ પોલીસ અને સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે, જ્યાં તેઓ રાહત અને બચાવ કામગીરી કરી રહ્યા છે. પોલીસે કહ્યું છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે. પોલીસના જણાવ્યા અનુસાર વિસ્ફોટ સભા સ્થળની અંદર થયો હતો. જોકે, પોલીસે હજુ સુધી બ્લાસ્ટના કારણની પુષ્ટિ કરી નથી. 
JUI-F ખૈબર પખ્તુનખ્વાના પ્રવક્તા અબ્દુલ જલીલ ખાને પાકિસ્તાની ન્યૂઝ ચેનલ જિયો ન્યૂઝને જણાવ્યું હતું કે મૌલાના લૈક કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે સાંજે 4 વાગ્યાની આસપાસ વિસ્ફોટ થયો હતો. પ્રાંતીય પ્રવક્તાએ કહ્યું કે કોન્ફરન્સ દરમિયાન JUI-F MNA મૌલાના જમાલુદ્દીન અને સેનેટર અબ્દુલ રશીદ પણ હાજર હતા. તેમણે પુષ્ટિ કરી કે જેયુઆઈ-એફના તહેસીલ ખાર અમીર મૌલાના ઝિયાઉલ્લાહ પણ મૃતકોમાં સામેલ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

હવે દુનિયાની સેનાઓ કરશે ઈંડિયન એયરફ્રાક્ટનો ઉપયોગ, કયો દેશ કરશે મદદ જાણી લો

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

આગળનો લેખ
Show comments