Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉત્તર પ્રદેશમાં ખેડૂત નેતાઓને 50 લાખની નોટિસ ફટકારાઈ

Webdunia
શુક્રવાર, 18 ડિસેમ્બર 2020 (14:52 IST)
ઉત્તર પ્રદેશમાં ખેડૂત આંદોલન કરનારને 50 લાખની નોટિસ, પોલીસ પર ડરાવવાનો આરોપ
 
કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા કૃષિકાયદાઓ વિરુદ્ધ ઉત્તર પ્રદેશમાં ખેડૂતોને 'ઉશ્કેરનારા' ખેડૂત નેતાઓને 50 લાખ રૂપિયાની નોટિસ ફટકારવામાં આવી છે. આ ઘટના સાંભલની છે.
 
'ઇન્ડિયન એક્સપ્રેસ' અનુસાર ભારતીય કિસાન યુનિયન (અસલી)ના છ ખેડૂત નેતાઓને 50-50 લાખ રૂપિયાની નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત બીજા છ લોકોને પાંચ-પાંચ લાખના બૉન્ડની નોટિસ આપવામાં આવી છે.
 
સાંભલના સબ-ડિવિઝનલ મૅજિસ્ટ્રેટ દ્વારા ખેડૂત નેતાઓને 12 ડિસેમ્બર અને 13 ડિસેમ્બરના રોજ આ નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિસ ફટકારાયાના અમુક દિવસો બાદ સર્કલ ઑફિસરે આને કારકુની ભૂલ ગણાવીને 50 હજારની રકમની વાત કરી હતી.
 
સાંભલના સર્કલ ઑફિસર અરુણકુમાર સિંહે કહ્યું, "મેં એસડીએમ સાથે વાત કરી છે. આમાં ભૂલ હતી. નવી નોટિસ આપવામાં આવશે. હાલ એસડીએમ રજા પર છે. તે રજા પરથી પરત આવશે તો અમે 50 હજારના નવા બૉન્ડ જાહેર કરીશું."
 
ખેડૂત નેતાએ આને 'પ્રજાતાંત્રિક વિરોધપ્રદર્શનને બદાવવાનો' પ્રયાસ ગણાવ્યો છે.
 
ભારતીય કિસાન યુનિયન(અસલી)ના રાજપાલસિંહ યાદવે કહ્યું, "અમને આંદોલન કરતા અટકાવવા માટે આ પ્રકારની રૅન્ડમ રકમ નક્કી કરવામાં આવી."
 
"આ આંદોલન હિંસક આંદોલન નથી. વહીવટી તંત્ર ખેડૂત આંદોલનથી કેમ ગભરાયેલું છે? અમે આતંકવાદી હોઈએ તેમ 50 લાખ રૂપિયા માગે છે. તેઓ જાણે છે અમારી પાસે આટલા બધા પૈસા નથી."

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

વાવાઝોડું દાના : ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આજે ત્રાટકવાની સંભાવના, ત્રણ લાખ લોકોને ખસેડાયા

બાબાના આશ્રમમાં 12 વર્ષની છોકરી સાથે દરિંદગી, 65 વર્ષના સેવાદારએ કર્યુ ગંદુ કામ

આગળનો લેખ
Show comments