Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુ અયોધ્યા વિવાદ ઉકેલાશે ? સીએમ યોગી આદિત્યનાથને મળ્યા શ્રી શ્રી રવિશંકર

Webdunia
બુધવાર, 15 નવેમ્બર 2017 (11:48 IST)
. અયોધ્યા વિવાદને કોર્ટમાંથી બહાર ઉકેલવા માટે ધર્મગુરૂ શ્રી શ્રી રવિશંકરે પોતાની કોશિશ ઝડપી બનાવી દીધી છે. આ કડી માં આજે તેમણે લખનૌમાં યૂપીના મુખ્યમંત્રી  યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી. અત્યાર સુધી બંને વચ્ચે વાતચીતની કોઈ વિગત બહાર આવી નથી. વિશ્વ હિન્દુ પરિષદે મધ્યસ્થતાનો વિરોધ કર્યો છે. 
 
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી શ્રી શ્રી રવિશંકર અયોધ્યા વિવાદને ઉકેલવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને આ પ્રક્રિયામાં તેઓ અનેક મુસ્લિમ નેતાઓને પણ મળી ચુક્યા છે. 
 
યોગી સાથે મુલાકાત પછી શ્રી શ્રી રવિશંકર આવતીકાલે અયોધ્યા જશે 
 
ખાસ વાત એ છે કે શ્રી શ્રી રવિશંકરની મધ્યસ્થાને કેન્દ્ર સરકાર તરફથી કોઈ ઔપચારિક સમર્થન મળ્યુ નથી. પણ કેન્દ્ર સરકારે શ્રી શ્રી ના પ્રયત્નોથી દૂરી બનાવી મુકી રાખી છે. કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યુ છે કે કેન્દ્ર સરકારની તેમા કોઈ ભૂમિકા નથી પણ જો વાતચીતથી મુદ્દો હલ નહી થાય તો સ્વાગત યોગ્ય પગલુ છે. 
 
અત્યાર સુધી કોણે કોણે મળ્યા શ્રી શ્રી રવિશંકર 
 
થોડા દિવસ યૂપી વક્ફ બોર્ડના ચેયરમેન શ્રી શ્રી રવિશંકર સાથે મુલાકાત કરી હતી. શ્રી શ્રી રવિશંકર અનેક ઈમાન અને ગુરૂઓના સંપર્કમાં છે. જેમાં નિર્મોહી અખાડાના આચાર્ય રામ દાસનો પણ સમાવેશ છે. 
 
આ રીતે બની શકે છે સહમતિ 
 
અખાડો પરિષદ અને શિયા વક્ફ બોર્ડ વચ્ચે વિવાદ ખતમ કરવાને લઈને સહમતિ બની ગઈ છે. શિયા વક્ફ બોર્ડ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે રાજી છે. શિયા વક્ફ બોર્ડે અયોધ્યા વિવાદ ઉકેલનારા ડ્રાફ્ટને કવર પેજ રજુ કર્યુ છે.  કવર પેજ પર લખ્યુ છે એક રસ્તા એકતા કી ઓર.. તસ્વીરમાં એક બાજુ મંદિર અને બીજી તરફ મસ્જિદ છે.. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

આગળનો લેખ
Show comments