Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડાપ્રધાન મોદી ફરી પધારશે ગુજરાત, ચૂંટણીનો દાવ ખેલવા પાટીદારો સાથે ચર્ચાની શક્યતા

Webdunia
બુધવાર, 18 જાન્યુઆરી 2017 (12:18 IST)
દસ દિવસના ટૂંકા ગાળામાં ફરી એક વખત પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના છે. કચ્છના ઘોરડો ખાતે યોજાનારા દેશના સાંસ્કૃતિ અને રમતગમત મંત્રીઓની પરિષદમાં હાજરી આપવા માટે પીએમ મોદી ગુજરાત આવી રહ્યાં છે. આ એક મહત્વનો કાર્યક્રમ છે. જેમાં કેન્દ્ર અને રાજ્યકક્ષાના મંત્રીઓ હાજરી આપવા આવવાના છે. પરિષદમાં ભાગ લીધા બાદ પીએમ મોદી રાત્રી રોકાણ કચ્છમાં જ કરશે. ત્યાર બાદ તેઓ ખોડલધામના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવા જશે. ત્યાંથી તેઓ દિલ્હી જવા રવાના થશે. પીએમ મોદી હાલમાં જ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે બે દિવસ ગુજરાત આવ્યા હતા. ત્યારે દસ દિવસમાં ફરી એક વખત તેઓ ગુજરાત આવી રહ્યાં છે. ઘોરડોમાં યોજાનારી ત્રિદિવસીય સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ મિનિસ્ટર્સની કોન્ફ્રન્સમાં પીએમ મોદી હાજરી આપવા માટે આવવાના છે.આ કોન્ફ્રન્સમાં 30 રાજ્યના પ્રવાસન મંત્રીઓ, અધિકારીઓ તેમજ ગુજરાત સરકાર અને કેન્દ્ર તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ પણ ભાગ લેવાના છે. ભારતના પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માટે યોજાનારી આ પરિષદનું ઉદ્ધાટન 20 તારીખે મોદી કરશે. ત્યાર બાદ તેઓ ઘોરડો ખાતે ટેન્ટમાં રાત્રી રોકાણ કરશે. 21મીએ ખોડલધામ ખાતે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપીને દિલ્હી જવા રવાના થશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકાએ ઘણા ભારતીયોને ભાડાના ચાર્ટર્ડ પ્લેનથી પરત મોકલ્યા, જાણો કારણ

લખનૌની અનેક હોટલોને બોમ્બથી હોટલને ઉડાવવાની ધમકી મળી

હિમાચલના મંડીમાં દુઃખદ અકસ્માત, કાર 300 મીટર ખાઈમાં પડી, પાંચ લોકોએ જીવ ગુમાવ્યા

સુરતના ઉધનામાં સવારની ટ્રેન માટે રાતથી લોકો કતારમાં ઉભા છે, ભીડના કારણે સ્ટેશનની હાલત ખરાબ્

ટોરન્ટોમાં ગાડી અથડાતા ગોધરાના ભાઈ બેન સહિત 4નાં મૃત્યુ

આગળનો લેખ
Show comments