Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાહુલ ગાંધીની કાર પર પત્થરમારો કરાયો, કારના કાચ તૂટ્યાં, મોદી મોદીના નારા લાગ્યાં

Webdunia
શુક્રવાર, 4 ઑગસ્ટ 2017 (16:40 IST)
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાતમાં પુરગ્રસ્ત બનાસકાંઠાની મુલાકાતે આવી પહોંચ્યા હતાં. જ્યાં તેઓએ પુરપિડીતો સાથે મુલાકાત કરી હતી. તેઓ ધાનેરાના હેલિપેડ તરફ જઈ રહ્યાં હતાં ત્યારે તેમની કાર પર પત્થરમારો કરવામાં આવ્યો હતો. દરમિયાન તેમની સામે મોદી મોદીના નારા લાગ્યાં હતાં. આ વિરોધને પગલે લાલ ચોકમા રાખવામાં આવેલી સભાને પણ રદ કરવામાં આવી હતી.


આ અગાઉ રાહુલ ગાંધી  રાહુલ ગાંધી રાજસ્થાનથી હેલિકોપ્ટર મારફતે બનાસકાંઠા આવી પહોંચ્યા હતા. કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સાથે ગુજરાત કૉંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત તેમની સાથે છે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, દાવા કરવા સરળ છે પરંતુ કામ કરવું મુશ્કેલ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે  જે લોકોને પણ મળીને પૂછી રહ્યા છીએ તે લોકો જણાવી રહ્યા છે કે તેમને સરકારની મદદ મળી નથી. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી પૂરને લઇને  ભાજપ કૉંગ્રેસમાં રાજકારણ ચાલી રહ્યું છે.

પૂરપીડિતો સાથે મુલાકાત બાદ રાહુલ ગાંધી ધાનેરાના APMC પહોંચ્યા હતાં જ્યાં સ્થાનિક લોકો કાળા વાવટા ફરકાવીને વિરોધ કર્યો હતો જ્યારે મોદી મોદીના નાર લગાવ્યા હતાં. ધાનેરા માર્કેટયાર્ડમાં રાહુલ ગાંધી આવી પહોંચ્યા હતાં. જ્યાં વેપારીઓ સાથે મુલાકા કરી હતી અને વેપારીઓ પોતાની વ્યથા ઠાલવી હતી. જ્યારે રાહુલ ગાંધી લાલ ચોક પહોંચ્યા ત્યાં વિરોધ કરવામાં આવ્યો હતો અને મોદી મોદી નારા લગાવ્યા હતાં.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

આગળનો લેખ
Show comments