Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ એરપોર્ટનો નવો રન વે તૈયાર, ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ખુલ્લો મુકાશે

Webdunia
ગુરુવાર, 22 સપ્ટેમ્બર 2016 (23:38 IST)
અમદાવાદ એરપોર્ટના નવા રન-વેના સમારકામ અને રિ-કાર્પેટિંગની કામગીરી પુર્ણ થઈ ગઈ છે. હવે તેને ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ફ્લાઈટની રેગ્યુલર 24 કલાક મૂવમેન્ટ માટે   ખુલ્લો મૂકાશે.  એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદ અને જયપુર એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગનું સંચાલન (ઓપરેશન અને મેનેજમેન્ટ) કરવા ખાનગી પાર્ટીઓ પાસેથી આવેદન (બીડ) મગાવવામાં આવ્યું છે. આ અંગે એરપોર્ટ ઓથોરિટીના ચેરમેન ગુરુપ્રસાદ મહાપાત્રાએ નવી દિલ્હી ખાતે સત્તાવાર જાહેરાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, દેશ વિદેશની એરપોર્ટના સંચાલનમાં રસ ધરાવતી પાર્ટીઓ પાસેથી નવેમ્બર પહેલા આવેદન મગાવવામાં આવ્યું છે. ઓથોરિટી દ્વારા અગાઉ પણ ત્રણ વાર પીપીપી ધોરણે અમદાવાદ સહિત અન્ય એરપોર્ટના સંચાલન માટેની પ્રક્રિયા શરૂ કરાઈ હતી પરંતુ તેમાં સફળતા મળી ન હતી.મહાપાત્રાએ વધુમાં જણાવ્યું કે, પીપીપીની સંપૂર્ણ પ્રક્રિયા નવેમ્બર સુધીમાં પૂર્ણ કરી લેવાશે. આ બન્ને એરપોર્ટ પર ખાનગી કંપનીને કામ સોંપ્યા બાદ તેના કેવા પરિણામો આવે છે તે જોયા બાદ અન્ય એરપોર્ટ પણ ખાનગી કંપનીને સોંપવા માટે વિચારણા કરવામાં આવશે. અમદાવાદ સહિત અન્ય 6 એરપોર્ટ ખાનગી કંપનીઓને સોંપવા માટે પહેલીવાર યુપીએ સરકાર દ્વારા પ્રક્રિયામાં અદાણી ગ્રૂપ, સદભાવના એન્જિનિયરિંગ, ટાટા રિયાલિટી, જીએમઆર, જીવીકે, એસ્સલ ગ્રૂપ જેવી કંપનીઓએ રસ દાખવ્યો હતો. નવેમ્બર 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિંગાપોરની મુલાકાત દરમિયાન અમદાવાદ અને જયપુર એરપોર્ટ મેનેજમેન્ટ માટે ચાંગી એરપોર્ટ ઓથોરિટી સાથે સમજૂતી કરી હતી.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

પુણેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

આગળનો લેખ
Show comments