Webdunia - Bharat's app for daily news and videos

Install App

SBIમાં મોંધી થઈ બેકિંગ, મોટાભાગના સેવાઓના ચાર્જેસમાં વધારો

Webdunia
મંગળવાર, 4 એપ્રિલ 2017 (10:38 IST)
જો તમારા ખાતા ભારતીય સ્ટેટ બેંકમાં હોય તો આ સમાચાર તમારા કામના છે. બેંકે પોતાના નિયમોમાં ખૂબ ફેરફાર કર્યો છે. આ નિયમ નવા નાણાકીય વર્ષ મતલબ 1 એપ્રિલથી લાગૂ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે ભારતીય સ્ટેટ બેંકમાં 5 સહાયક બેંકોના ઉપરાંત ભારતીય મહિલા બેંકનો વિલય થઈ ચુક્યો છે. આ બેંકોમાં સ્ટેટ બેંક ઓફ બીકાનેર, સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ, સ્ટેટ બેંક ઓફ મૈસૂર, સ્ટેટ બેંક ઓફ પટિયાલા અને સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર સામેલ છે.  એસબીઆઈના નિયમોમા ફેરફારથી આ 6 બેંકોના ગ્રાહકો પર પણ અસર પડશે. 
 
આ ગ્રાહકો પર પણ લાગૂ પડશે નવા નિયમ 
 
એસ.બી. આઈએ પોતાના ખાતાધારકોને એકાઉંટમાં ન્યૂનતમ રકમ ન મુકતા વધુ ફી લેવાનુ શરૂ કરી દીધુ છે. આ સાથે જ હવે કસ્ટમર્સને ચેક બુક અને લોકર માટે પણ વધુ પૈસા આપવા પડશે.  આ ફી પાંચ પૂર એસોસિએટ બેંક અને ભારતીય મહિલા બેંકના ગ્રાહકો પર પણ લાગૂ થશે. આ બેંકોના સ્ટેટ બેંકમાં વિલય 1 એપ્રિલથી પ્રભાવમાં આવી ગયા. વિલય પછી એસ.બી.આઈ ગ્રાહકોની સંખ્યા વધીને 37 કરોડ થઈ ગઈ છે. 
 
લોકરનું ભાડુ પણ વધ્યુ 
 
સ્ટેટ બેંકે લોકરનુ ભાડુ પણ વધાર્યુ છે. સાથે જ એક વર્ષમાં લોકરના ઉપયોગની સંખ્યા પણ ઓછી કરવામાં આવી છે. 12 વાર ઉપયોગ કર્યા પછી ગ્રાહકોને 100 રૂપિયા સાથે સર્વિસ ટેક્સ આપવો પડશે.  ચેક બુકના મમાલે ચાલુ ખાતાધારકોને એક નાણાકીય વર્ષમાં 50 ચેક મફત મળશે.  ત્યારબાદ તેણે ચેકના પ્રતિ પાન માટે 3 રૂપિયા આપવા પડશે.  આ રીતે 25 પાનની ચેક બુક માટે તેમને 75 રૂપિયા સાથે સર્વિસ ટેક્સ પણ આપવો પડશે. 
 
ન્યૂનતમ બેલેંસ ન રાખતા દંડ ભરવો પડશે. 
 
હવે માસિક આધાર પર 6 મહાનગરોમાં એસબીઆઈની શાખામાં સરેરાશ 5000 રૂપિયા રાખવા પડશે. બીજા શહેરો અને અર્ધ શહેરી શાખાઓ માટે ક્રમશ ન્યૂનતમ રકમ સીમા 3000 રૂપિયા અને 2000 રૂપિયા રાખવામાં આવી છે.   ગ્રામીણ શાખાઓના મામલે ન્યૂનતમ રકમ 1000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. એસબીઆઈના બચત ખાતાધારકોને માસિક આધાર પર ન્યૂનતમ રકમને તમારા ખાતામા રાખવી પડશે.  આવુ નહી થતા તેમને 20 રૂપિયા (ગ્રામીણ શાખા)થી 100 રૂપિયા (મહાનગર) આપવા પડશે.  
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકાએ ઘણા ભારતીયોને ભાડાના ચાર્ટર્ડ પ્લેનથી પરત મોકલ્યા, જાણો કારણ

લખનૌની અનેક હોટલોને બોમ્બથી હોટલને ઉડાવવાની ધમકી મળી

હિમાચલના મંડીમાં દુઃખદ અકસ્માત, કાર 300 મીટર ખાઈમાં પડી, પાંચ લોકોએ જીવ ગુમાવ્યા

સુરતના ઉધનામાં સવારની ટ્રેન માટે રાતથી લોકો કતારમાં ઉભા છે, ભીડના કારણે સ્ટેશનની હાલત ખરાબ્

ટોરન્ટોમાં ગાડી અથડાતા ગોધરાના ભાઈ બેન સહિત 4નાં મૃત્યુ

આગળનો લેખ
Show comments