Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસના એક પણ ધારાસભ્યએ રાજીનામું આપ્યું નથી, આપ્યું હોય તો પુરાવા આપો : અમિત ચાવડા

Webdunia
સોમવાર, 16 માર્ચ 2020 (10:19 IST)
રાજ્યસભાની ચૂંટણી પહેલા  ભાજપ દાવો કરી રહી છે કે કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે, તો બીજી તરફ કોંગ્રેસ માનવા તૈયાર નથી. કોંગ્રેસે કહ્યું કે, જો રાજીનામા આપી દીધા હોય તે પુરાવા આપો. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ મીડિયા સાથે વાત કરતા ધારાસભ્યોના રાજીનામાની વાતને નકારી હતી.
 
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ મીડિયા સાથે વાત કરતા ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.અમિત ચાવડાએ કહ્યું, લોકશાહીની પરંપરામાં ના માનનારી ભાજપની સરકાર દ્વારા લોકોને ગુમરાહ કરવા અને કોંગ્રેસના ધારાસભ્યોને બદનામ કરવા માટે નીત નવા ધારાસભ્યોના નામ ઉછાળી ભ્રામક પ્રચાર થઇ રહ્યો છે. ગઇકાલથી અલગ અલગ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા તે વાતો મીડિયામાં ચલાવવામાં આવે છે. 
 
વિધાનસભાના અધ્યક્ષ દ્વારા હજુ સુધી કોઇ પૃષ્ટી કરવામાં નથી આવી, કોઇ સાબિતી આપવામાં નથી આવી. વારંવાર આવી વાતો ઉછાળી ભાજપ પોતાની નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ કરે છે. તેમણે કોઇ પણ ધારાસભ્ય દ્વારા રાજીનામું નહી અપાયું હોવાની અને માધ્યમોમાં ખોટી અફવા ભાજપ દ્વારા ફેલાવાઇ હોવાનો દાવો કર્યો હતો. 
 
જો કે બીજી તરફ મોડી રાત્રે કોંગ્રેસી ધારાસભ્યોની ખરીદ વેચાણ વચ્ચે કોંગ્રેસનાં ઉચ્ચ નેતાઓની બેઠક મળી હતી. કોંગ્રેસનાં નેતાઓની બેઠકમાં ફોર્મ પાછુ ખેંચવા મુદ્દે અસંતોષ હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Maharashtra Election: કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

આગળનો લેખ
Show comments