Webdunia - Bharat's app for daily news and videos

Install App

બેન્કના એટીએમના ગાર્ડની કરપીણ હત્યા કરી લૂંટનો પ્રયાસ

Webdunia
ગુરુવાર, 23 જુલાઈ 2015 (17:50 IST)
મેઘરજ તાલુકાના શણગાલ ગામે લૂંટારુ ટોળકીએ આતંક મચાવી દેના બેન્કના એટીએમના ગાર્ડની કરપીણ હત્યા કરી લૂંટનો પ્રયાસ કરતાં આ ઘટનાએ ભારે ચકચા જગાવી છે. 

આ અંગેની વિગત એવી છે કે શણગાલ ગામની મધ્યમાં આવેલા દેના બેન્કના એટીએમ સેન્ટર પર મોડી રાત્રે લૂંટારુ ટોળકી ત્રાટકી લૂંટનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એટીએમના સિકયોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હીરાભાઇ કાળાભાઇએ લૂંટારુઓનો હિંમતપૂર્વક સામનો કર્યો હતો, પરંતુ લૂંટારુઓ આ ગાર્ડને પેટના ભાગે તેમજ છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી તેની કરપીણ હત્યા કરી હતી. ત્યાર બાદ લૂંટારુએ કેશબોકસ તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ન તૂટતાં એટીએમ સેન્ટરમાં તોડફોડ કરી લૂંટારુ ટોળકી નાસી છૂટી છે.  

વહેલી સવારે એટીએમ સેન્ટરમાં લોહી નીકળતી હાલતમાં ગાર્ડની લાશ જોતા લોકો ચોંકી ઉઠ્યા હતા અને આ અંગે પોલીસને જાણ કરતા અધિકારીઓ તાબડતોબ પહોંચી ડોગ સ્કોર્ડની મદદથી સઘન તપાસ શરી કરી છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિલ્હીમાં પ્રદૂષણ ‘ગંભીર’ શ્રેણીમાં, 400 પાર એક્યૂઆઈ

મૃત્યુ પહેલા, રતન ટાટાએ શાંતનુને અમીર બનાવ્યું, મુંબઈમાં બે માળનું મકાન, રૂ. 350 કરોડની એફડી અને તેનાથી વધુ.

પરિવારના આઠ લોકો રાત્રે સૂતા હતા, જ્યારે સવારે તેમની આંખ ખુલી ત્યારે તેઓ એક વિશાળ આગથી ઘેરાયેલા હતા

મગર હરણને શા માટે છોડી દીધુ, જ્યારે આવી ઘટનાની જાણ થઈ અને તરત જ તેને છોડી દીધું. વિડિઓ જુઓ

Mann Ki Baat: 'PM મોદી 'મન કી બાત' કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે, આજે એપિસોડનો 115મો એપિસોડ

Show comments