Webdunia - Bharat's app for daily news and videos

Install App

Karnataka Opinion Poll: કર્ણાટકમાં BJP ને લાગી શકે છે મોટો ઝટકો, જાણો પોલ ઓફ પોલ્સના ચોંકાવનારા આંકડા

Webdunia
ગુરુવાર, 30 માર્ચ 2023 (18:07 IST)
ABP Cvoter Karnataka Opinion Poll: ચૂંટણી પંચે બુધવારે (29 માર્ચ) કર્ણાટક વિધાનસભા ચૂંટણી(Karnataka Assembly Election)ની તારીખોની જાહેરાત કરી છે. રાજ્યમાં 10 મેના રોજ એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે અને 13 મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. આ જાહેરાત સાથે જ દક્ષિણના આ રાજ્યમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP)  અને મુખ્ય હરીફ કોંગ્રેસ (Congress)વચ્ચે ચૂંટણી જંગનું બ્યુગલ વાગી ગયું છે. જનતા દળ (સેક્યુલર) રાજ્યનો ત્રીજો મોટો પક્ષ છે.    
 
આ દરમિયાન જનતાના મનમાં શુ છે આ જાણવા માટે સી વોટરે ઓપિનિયન પોલ કર્યુ છે. આ ઓપિનિયન પોલમાં 24 હજાર 759 લોકોના મંતવ્ય લીધા છે. ઓપિનિયન પોલ કર્ણાટકમાં બધી સીટો પર કરવામાં આવ્યુ છે. ઓપિનિયન પોલમાં મર્જિન ઓફ એરર પ્લસ માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે. આ ઉપરાંત અમે તમારે માતે અનેક અન્ય એજંસેયોના પોલના પરિણામ લઈને આવ્યા છે. સૌથી પહેલા એબીપી ન્યૂઝ સી વોટરના ઓપિનિયન પોલના પરિણામ બતાવે છે. 
 
એબીપી ન્યૂઝ સી વોટરના ઓપિનિયન પોલના પરિણામો
 
એબીપી ન્યૂઝ સી વોટરના ઓપિનિયન પોલમાં કોંગ્રેસને કર્ણાટકમાં સૌથી વધુ સીટો મળી રહી છે. ઓપિનિયન પોલ અનુસાર કોંગ્રેસને કર્ણાટકમાં 115-127 સીટો મળી શકે છે. બીજેપીને 68-80 સીટો જ્યારે જેડીએસને 23-35 સીટો મળવાની ધારણા છે. અન્યને 0-2 બેઠકો મળવાની ધારણા છે.
 
કર્ણાટક પોલ ઓફ પોલ્સ
 
મેટરાઇઝ પોલમાં કોંગ્રેસને કર્ણાટકમાં 88-98 સીટો મળવાની ધારણા છે. ભાજપને 96-106 બેઠકો, જેડીએસને 23-33 બેઠકો અને અન્યને 2-7 બેઠકો મળવાનું અનુમાન છે. લોક પોલના સર્વેમાં કોંગ્રેસને 116-123 બેઠકો મળવાની ધારણા છે. ભાજપને 77-83, જેડીએસને 21-27 અને અન્યને 1-4 બેઠકો મળી શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

દૂધીનો હલવો બનાવવાની રીત

તેનાલી રામા અને જાદુગર

જો તમે નવરાત્રી દરમિયાન ઉપવાસ કરી રહ્યા છો, તો જાણો શું ખાવું અને શું ન ખાવું? નબળાઈ ન લાગે તે માટે

આ નવરાત્રીમાં માતા રાણીને અર્પણ કરો સીતાભોગ, જાણો રેસિપી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

એમ્પુરાનમાંથી હટાવાશે ગુજરાત રમખાણોના સીન, રાજકીય વિવાદ વચ્ચે અભિનેતા મોહનલાલે માંગી માફી

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

આગળનો લેખ
Show comments