Festival Posters

Manglik Dosha: જો તમે માંગલિક છો તો લગ્ન પહેલા કરી લો આ ઉપાય નહી તો લગ્નજીવન થશે બરબાદ

Webdunia
મંગળવાર, 30 મે 2023 (00:44 IST)
Manglik Dosha Na Upay: જ્યોતિષમાં મંગળ ગ્રહને ગ્રહોનો સેનાપતિ કહેવામાં આવે છે. આ ખૂબ જ ઉગ્ર ગ્રહ છે. જો કે વૃશ્ચિક અને મેષ રાશિનો સ્વામી છે. લગ્ન પહેલા કુંડળીમાં મંગળની સ્થિતિ જરૂર જોવી જોઈએ. જો કોઈને કુંડળીમાં  મંગળ લગ્ન, ચતુર્થ, સપ્તમ, અષ્ટમ અને દ્વાદશ ભાવમાથી કોઈ પણ ભાવમાં હોય તો તેને મંગળદોષ કે માંગલિક દોષ કહેવામાં આવે છે. 
 
જે યુવક કે યુવતીને મંગળ દોષ હોય તો તેમને મંગળ દોષ દૂર કરવાના ઉપાયો જરૂર કરવા જોઈએ. નહી તો વૈવાહિક જીવનમાં હંમેશા પરેશાનીઓ આવતી રહે છે.  એવુ કહેવાય છે કે મંગળ દોષવાળા યુવક કે યુવતીના લગ્ન કોઈ મંગળ દોષવાળા યુવક કે યુવતી સાથે કરવા જોઈએ. 
 
જ્યોતિષ મુજબ કુંડળીમાં ફક્ત 28 વર્ષ સુધી જ મંગળ દોષ રહે છે. બીજી બાજુ મેષ, કર્ક, વૃશ્ચિક રાશિ વાળા લોકોમાં  પણ મંગળ દોષ જીવનભર માટે રહેતો નથી.  જો કુંડળીમાં પૂર્ણ કે આંશિક મંગળ દોષ છે તો લગ્ન  પહેલા કેટલાક જ્યોતિષ ઉપાયો કરી લેવા જોઈએ. આ ઉપાયો કરવાથી વૈવાહિક જીવનમાં આવનારી પરેશાનીઓ ઓછી થાય છે. 
 
 તો આવો જાણીએ મંગલ દોષ દૂર કરવાના ઉપાય 
 
ભાત પૂજન - માંગલિક દોષ દૂર કરવા માટે ભાત પૂજન કરવામાં આવે છે.  એવુ કહેવાય છે કે ભાત પૂજન કરવાથી મંગલ દોષ સમાપ્ત થાય છે. 
 
કુંભ વિવાહ - કુંભ વિવાહ કરવાનો મતલબ હોય છે લગ્ન પહેલા કોઈ માટલા સાથે લગ્ન કરવા અને પછી એ માટલાને ફોડી નાખવામાં આવે છે.  પરંતુ આ ઉપાય કોઈ જ્યોતિષની સલાહ પછી જ કરવામા આવે છે.  
 
 - લીમડાનુ ઝાડ લગાવવુ - લગ્ન પહેલા લીમડાનુ ઝાડ લગાવવાથી અને ઓછામાં ઓછા 43 દિવસ સુધી ઝાડની દેખરેખ કરવાથી પણ માંગલિક દોષનો પ્રભાવ ઓછો થઈ જાય છે. 
 
- સફેદ સુરમા લગાવો - કાળો સુરમા તો દરેક કોઈ લગાવે છે પણ 43 દિવસ સુધી સફેદ સુરમાં લગાવવાથી મંગલ દોષ દૂર થાય છે. 
 
- મહેમાનોને ખવડાવો મીઠાઈ - કુંડળીમાં મંગળ ભારે છે કે મંગલ દોષ છે તો ઘરે આવતા અતિથિઓને મીઠાઈ ખવડાવો. તેનાથી પણ મંગલ દોષનો પ્રભાવ ઓછો થાય છે. 
 
- મંગળવાર ઉપાય - મંગળવારના દિવસે હનુમાન ચાલીસા વાંચો. હનુમાનજીને કેસરિયા ચોલા ચઢાવો અને કેસરિયા રંગના ગણપતિને ઘરે સ્થાપિત કરી તેની નિયમિત પૂજા કરવાથી પણ મંગલ દોષ દૂર થાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

મોડી રાત્રે અચાનક આ રાજ્ય ધ્રુજી ગયું! 5-7 સેકન્ડ માટે ભૂકંપના આંચકા અનુભવાયા, જેના કારણે લોકો ગભરાઈને ઘરોમાંથી બહાર દોડી ગયા

Sardar Patel Punyatithi: - બાબરી મસ્જિદ-રામ જન્મભૂમિ વિવાદ પર શુ વિચારતા હતા સરદાર પટેલ ? મૂર્તિયા મુકતા શુ કહ્યુ હતુ ?

Indian Rupee- ભારતીય રૂપિયા પર મોટો નિર્ણય: નિયમો ટૂંક સમયમાં બદલાઈ શકે છે

ઘરેલુ શેરબજાર ધડામ, સેંસેક્સ 373 અંક ગબડ્યો, નિફ્ટી પણ પસ્ત, રૂપિયો એકદમ નીચલા સ્તર પર

ફાયરિંગ કરી રહેલા આતંકીને દબોચી લીધો અને છીનવી લીધી બંદૂક, કોણ છે સિડનીનો હીરો જાણો ?

આગળનો લેખ
Show comments