Webdunia - Bharat's app for daily news and videos

Install App

જ્યોતિષ - આવા લોકો પોતાની બુદ્ધિના દમ પર અખૂટ ધન કમાવે છે

Webdunia
શુક્રવાર, 29 જાન્યુઆરી 2021 (07:53 IST)
હાથમાં બનેલા નિશાન વ્યક્તિના જીવનની ઘણી ઘટનાઓનો સંકેત આપે છે. વ્યક્તિ કેવી હશે, તેના જીવનમાં પૈસાની પરિસ્થિતિ કેવી રહેશે, તેને કેટલું માન મળશે અને જીવનમાં તે શું કરશે, આ બધું હાથની રેખાઓ દ્વારા જાણી શકાય છે. અહીં અમે તમને આવા જ કેટલાક સંકેતો વિશે જણાવી રહ્યા છીએ.
 
- જો કોઈ વ્યક્તિના હાથમાં ચક્ર જેવુ  નિશાન હોય તો તે ખૂબ જ વિશેષ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો હથેળીમાં ચક્રના નિશાન અંગૂઠા પર હોય તો તે વ્યક્તિ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. આવા લોકો શ્રીમંત હોય છે. જેના અંગૂઠા પર ચક્રનું નિશાન હોય છે  તે વ્યક્તિ શુભ, પ્રભાવશાળી અને મગજથી સાથે સંકળાયેલ કામ કરતા હોય છે. આવા લોકો તેમની બુદ્ધિનો ઉપયોગ કરીને અપાર સંપત્તિ મેળવે છે. આવા નિશાનવાળા લોકો પિતાનો સહારો બને છે. આ લોકોને પરિવાર, કુટુંબ અને સમાજમાં ખૂબ માન મળે છે.
 
- જો વ્યક્તિના બે હાથમાં ભાગ્ય રેખા મણિબંધથી શરૂ થઈને સીધી શનિ પર્વત પર જઈ રહી હોય, સૂર્ય રેખા પણ પાતળી અને લાંબી હોય છે, મગજની રેખા અને આયુષ્ય રેખા પણ સારી હોય તો આવા વ્યક્તિના હાથમાં ગજલક્ષ્મી યોગ રચાય છે. આ યોગ દ્વારા વ્યક્તિ અચાનક ધન પ્રાપ્ત કરે છે.
 
-જો શનિ પર્વતના નીચેવાળુ સ્થાન અને શુક્ર પર્વત હેઠળનો વિસ્તાર વધુ ભરેલો, સુંદર હોય અને ભાગ્ય રેખા શુક્ર પર્વત અંગૂઠાની નજીકથી શરૂ થઈને શનિ પર્વતની મધ્યમાં પહોંચે છે, તો આવા લોકોના જીવનમાં પૈસાની કમી નથી થતી. આવા લોકો ખૂબ પૈસા કમાય છે.
 
- જો ભાગ્ય રેખા અને ચંદ્ર રેખા એક સાથે શનિ પર્વત પર પહોંચે છે, તો આવા લોકો પણ ખૂબ ધનિક હોય છે.
 
- જો ભાગ્ય રેખા નાની આંગળીની નીચેના ક્ષેત્રથી શરૂ થાય છે અને કોઈ લીટી કાપ્યા વિના શનિ પર્વત પર પહોંચે છે તો તે પણ શુભ છે. આવી વ્યક્તિ જીવનમાં ઘણી કમાણી પણ કરે છે.

સંબંધિત સમાચાર

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments