Webdunia - Bharat's app for daily news and videos

Install App

25 મે થી નૌતપા - શુ હોય છે રોહિણી નક્ષત્ર, જ્યોતિષ મુજબ જાણો ગ્રહોની શુ થશે અસર ?

Webdunia
સોમવાર, 24 મે 2021 (13:59 IST)
પ્રતિવર્ષ ગ્રીષ્મ ઋતુમાં નૌતપા શરૂ થાય છે. આ વખતે નૌતપા વૈશાખ શુક્લની ચતુર્દશી 25 મે ના રોજ શરૂ થઈને આઠ જૂન સુધી રહેશે. જ્યોતિષ મુજબ શરૂઆતના પાંચ દિવસ વધુ પરેશાની ભર્યા રહેશે. એવુ બતાવાય રહ્યુ છે એ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરતા જ ધરતીનુ તાપમાન ઝડપથી વધવા લાગશે.
 
 જ્યોતિષ મુજબ આ વર્ષ રોહિણીનો નિવાસ દરિયાકિનારે રહેશે. સારો વરસાદ પડશે, જેનાથી પાકનુ ઉપ્તાદન પણ સારુ થશે. નોતપા વિશે એવુ કહેવાય છે કે સૂર્ય જ્યારે રોહિણી નક્ષત્રમાં 15 દિવસ માટે આવે છે તઓ એ પંદર દિવસના પહેલા નવ દિવસ સૌથી વધુ ગરમીના હોય છે.  આ શરૂઆતના નવ દિવસને નૌતપાના નામથી ઓળખાય છે.  જો આ નવ દિવસમાં વરસાદ ન પડે અને ઠંડી હવા ન ચાલે તો એવુ માનવામાં આવે છે કે આવનારા દિવસોમાં સારો વરસાદ પડશે.   આ દરમિયાન સૂર્યની ગરમી અને રોહિણીના જળ તત્વ ના કારણે ચોમાસુ ગર્ભમાં જાય છે અને નૌતપા જ ચોમાસાનો ગર્ભકાળ માનવામાં આવે છે.  સૂર્ય 12 રાશિઓ 27 નક્ષત્રોમાં ભ્રમણ કરે છે.  જ્યોતિષ મુજબ સૂર્ય કુંડળીમાં જે પણ ગ્રહ સાથે બેસે છે તેનો પ્રભાવ અસ્ત કરી નાખે છે. 
 
નૌતપા દરમિયાન, સૂર્યની કિરણો સીધી પૃથ્વી પર આવે છે, જેના કારણે તાપમાનમાં વધારો થાય છે. આ ઉચ્ચ તાપમાનને કારણે મેદાનોમાં નીચા દબાણવાળા ક્ષેત્રની રચના થાય છે. સૂર્ય 12 રાશિ અને 27 નક્ષત્રમાં ભ્રમણ કરે છે. જ્યોતિષીઓના કહેવા મુજબ, સૂય્ર કુંદળીમાં જે પણ ગ્રહ સાથે બેસે છે તેના પ્રભાવને જો કુંડળીમાં સૂર્ય કોઈ ગ્રહ સાથે બેસે તો તે તેની અસરને નષ્ટ કરે છે.  રોહિણી નક્ષત્રનો અધિપતિ ગ્રહ ચંદ્રમા હોય છે. આવામાં જ્યારે સૂર્ય રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે છે તો તે ચંદ્રની શીતળતાના પ્રભાવને સંપૂર્ણપણે નષ્ટ કરીને તાપ વધારે છે. એટલે કે પૃથ્વીને શીતળતા પ્રાપ્ત નથી થતી. આ કારણે તાપ વધી જાય છે. 
 
બદલાશે ગ્રહોની ચાલ, બનશે વરસાદના યોગ 
 
નૌતપા દરમિયાન જ ગ્રહોની ચાલ બદલાય છે. 30 મે ના રોજ બુધ ગ્રહ વક્રી થશે. તેના બે દિવસ પછી શુક્ર પણ બુધનો સાથ છોડશે. તેનાથી પર્વતીય વિસ્તારમાં વર્ષાના યોગ બની શકે છે. હિમાચલ ઉપરાંત રાજસ્થાન, ગુજરાત, યૂપી, પંજાબ અને ઓડિશામાં પણ તેજ હવાઓ સાથે વરસાદના યોગ બનશે.  જ્યોતિષ મુજબ આ ઉપરાંત આ વર્ષનો રાજા મંગળ છે અને મંગળ પાસે જ વરસાદનો વિભાગ પણ છે, જે જળનો ક્ષયનો પ્રતિક છે. જેનાથી ભારતમાં વરસાદ સારો પડશે. 
 

સંબંધિત સમાચાર

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

આગળનો લેખ
Show comments