Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતમાં સૂર્ય ગ્રહણ પુરુ, ઘરમાં બરકત જોઈએ છે તો સૂર્યગ્રહણ પછી કરી લો આ 5 કામ

Webdunia
ગુરુવાર, 10 જૂન 2021 (18:59 IST)
આજનુ સૂર્ય ગ્રહણ 10 જૂનના રોજ બપોરે 1 વાગીને 42 મિનિટથી શરૂ થઈને સાંજે 6 વાગીને 41 મિનિટ સુધી હતુ.  આજનુ સૂર્ય ગ્રહણ વલયાકાર ગ્રહણ હતુ.  વલયાકર સૂર્ય ગ્રહણને રિંગ ઓફ ફાયરના નામથી પણ ઓળખવામાં આવે છે.  કારણ કે આ દરમિયાન આકાશમાં સૂર્ય એક આગની અંગૂઠીની જેમ ચમકતો જોવા મળે છે.  જો કે આ નજારો થોડોક જ સમયનો હોય છે. આ ગ્રહણ ત્યારે થાય છે જયારે ચંદ્રમાં સૂર્યના સંપૂર્ણ ભાગને પોતાની છાયાથી ઢાંકી નથી શકતો. આ સ્થિતિમાં સૂર્યનો બહારનો ભાગ પ્રકાશિત રહે છે.  એટલે કે જ્યારે ચંદ્ર સૂર્યની સામે આવતા તેને આ રીતે ઢાંકી દે છે કે સૂર્ય વચ્ચેથી તો ઢંકાયેલો લાગે છે પણ તેની કિનારે રોશનીની એક રિંગ કે અંગુઠી બનતી જોવા મળે છે તો તેને વલયાકાર સૂર્ય ગ્રહણ કહે છે. 
 
આવો જાણીએ ગ્રહણ પછી તરત જ શુ કરશો 
 
1. ગ્રહન પહેલા અને ગ્રહણ સમાપ્ત થયા બાદ સ્નાન કરો. પવિત્ર નદીઓ અને સંગમોમાં સ્નાન કરવાનુ વિધાન છે, પરંતુ કોરોનાકાળમાં આપ ઘરમાં જ પાણીમાં થોડુ ગંગાજળ નાખીને સ્નાન કરી શકો છો.  માન્યતામુજબ ગર્ભવતી સ્ત્રીઓએ પણ ગ્રહણ બાદ સ્નના કરવુ જોઈએ. આવુ ન કરવાથી શિશુને ત્વચા સંબંધી પરેશાની થઈ શકે છે. 
 
2. ગ્રહણ ખતમ થયા બાદ મંદિર અને ઘરની સફાઈ કરો 
 
3. સાથે જ ભગવાનના વસ્ત્ર વગેરેની પણ સફાઈ કરીને નવા વસ્ત્ર પહેરવો. ઈશ્વની આરાધના કરો 
 
4. ગ્રહણ બાદ ગાયને ઘાસ, પક્ષીઓને અનાજ, ગરીબને વસ્ત્રદાનથી અનેકગણુ પુણ્ય પ્રાપ્ત થાય છે. 
 
5. સૂર્ય ગ્રહણ ઉપરાંત ગરીબોને દાન કરો. માન્યતા છે કે સામાન્ય દિવસથી ગ્રહણમાં કરવામાં આવેલ પુણ્ય કર્મ (જાપ, ધ્યાન, દાન વગેરે) 1 લાખ ગણુ અને સૂર્ય ગ્રહણમાં 10 લાખ ગણુ ફળદાયી હોય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

16 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે શનિદેવની કૃપા

સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

15 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા

Chandra Grahan 2024: પિતૃ પક્ષમાં લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો બધી 12 રાશિઓમાં કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકશાન ?

14 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે અગિયારસનાં દિવસે આ લોકોની ચમકી જશે કિસ્મત

આગળનો લેખ
Show comments