Webdunia - Bharat's app for daily news and videos

Install App

Numerology : 5 એપ્રિલના રોજ રાત્રે 9 વાગીને 09 મિનિટે દીવો પ્રગટાવવાનું શું મહત્વ છે, જાણો

Webdunia
રવિવાર, 5 એપ્રિલ 2020 (09:19 IST)
કોરોના વાયરસ લોકડાઉન વચ્ચે, પીએમ મોદીએ 5 એપ્રિલના રોજ રાત્રે 9 વાગીને 09 મિનિટે દેશવાસીઓને દીવો પ્રગટાવવાની અપીલ કરી છે. આવી સ્થિતિમાં, દરેકમાં સવાલ ઉભો થાય છે કે આ તારીખ અને દિવસને પસંદ કરવાનું શું મહત્વ છે. અંકશાસ્ત્ર અનુસાર તેનું ખૂબ જ વિશેષ મહત્વ છે. ચાલો પહેલા જાણીએ પીએમ મોદીનો સંદેશ શું છે
 
પીએમ મોદીએ ​​એક વીડિયો સંદેશમાં લોકોને અપીલ કરી છે કે 5 એપ્રિલની રાત્રે 9 વાગીને 09 મિનિટે, દરેક જણ તેમના ઘરોની લાઈટ બંધ કરીને ઘરની બહાર દીવા, મીણબત્તીઓ અને મોબાઈલ લાઇટ સળગાવશે અને આ સંકટની ઘડીમાં સંદેશ આપે કે  દેશ ગરીબોની સાથે ઉભો છે. છે. તેમણે કહ્યું કે કોરોનાએ અમારી વિચારધારા, આસ્થા અને પરંપરા પર પ્રહાર કર્યા છે, 5 એપ્રિલે દેશની જનતાની મહાસત્તાનું જાગરણ કરીશુ.
 
શું છે મહત્વ 
અંકશાસ્ત્ર મુજબ, 5 અંકનો સ્વામી બુધ છે. બુધ એ ગળા, ફેફસાં અને મોઢાનો કારક ગ્રહ છે. હાલમાં, વિશ્વવ્યાપી રોગચાળો કોરોના માનવ ચહેરા, ફેફસાં અને ગળાને નિશાન બનાવી રહ્યો છે. બુધ ગ્રહોનો રાજકુમાર અને વર્તમાન સંવત 2077 નો શાસક પણ છે. તેથી 5 એપ્રિલ આ દૃષ્ટિકોણથી પણ અનુકૂળ છે.
 
રવિવારનો દિવસ સૂર્યનો છે. સૂર્ય નવગ્રહનો શાસક છે. બધા ગ્રહો સૌર ઉર્જાથી પ્રભાવિત છે. સૂર્ય દીવો અથવા પ્રકાશનું પ્રતીક છે, તેથી 9 એપ્રિલે 9 વાગીને 09 મિનિટ સુધી, યમઘંટ કાળના સમયગાળામાં લાખો પ્રગટાયેલા દીવડાઓ સૂર્યને શક્તિ આપશે.
 
નવ નો અંક મંગળનું પ્રતીક છે. મંગળ સૂર્યમંડળનો સેનાપતિ હોવાથી રોગચાળાના અંધકારનો નાશ કરવામાં સૂર્યની મદદ કરશે. રાત્રિ અથવા અંધારુ એ શનિનું પ્રતીક છે અને શનિ સૂર્યથી એટલે કે અંધારુ પ્રકાશથી દૂર થાય છે. તેથી, રવિવાર, 5 એપ્રિલ જે  પૂર્ણિમાના નિકટની તિથિ છે, એ દિવસે ચંદ્રની  મજબુતી થવા માટે બધો પ્રકાશ બંધ કરીને અને દીપદાન કરવાથી ચંદ્રમાને અમૃત-વરસાદ માટે ફરજ પાડશે.
 
 

સંબંધિત સમાચાર

અમદાવાદમાં દીકરો ફરવા ગયો અને માતા પિતા સુઈ ગયા, ચોરોએ ઘરમાંથી 13 લાખનો હાથ ફેરો કર્યો

અમદાવાદથી દીવ જતાં ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો, કાર સીધી જ દુકાનમાં ઘૂસી ગઈ એકનું મોત

પોઈચા બાદ મોરબીની મચ્છુ નદીમાં નાહવા પડેલા 3 તરુણો ડૂબી ગયા,ચાર જણા બચી ગયા

NAFED ડિરેક્ટરની ચૂંટણીમાં મોહનભાઈ કુંડારિયા બિનહરીફ, 4 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા

સુરતમાં 70 લાખની મર્સિડીઝ લોખંડની રેલિંગ તોડીને BRTSના રૂટમાં ઘૂસી ગઈ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

10 મે નું રાશીફળ - આજે અખાત્રીજના દિવસે આ રાશિઓની ચમકી જશે કિસ્મત

આગળનો લેખ
Show comments