Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chandra Grahan 2020: 5 જુલાઈએ ચંદ્ર ગ્રહણ, આ રાશિઓ પર પડશે સૌથી વધુ અસર

Webdunia
શનિવાર, 4 જુલાઈ 2020 (16:49 IST)
5 જુલાઈએ ગુરુ પૂર્ણિમા પર ચંદ્રગ્રહણ જોવા મળશે. આ વર્ષ વર્ષ 2020 નું ત્રીજું ચંદ્રગ્રહણ હશે. જૂન મહિનાની શરૂઆતમાં, બે ગ્રહણ થયા છે. 5 જૂને ચંદ્રગ્રહણ હતું અને 21 જૂને સૂર્યગ્રહણ હતું. જોકે, 5 જુલાઈએ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં.  
 
ગ્રહણ ક્યાં અને કેવુ થશે ? 
 
5 જુલાઈએ આ ચંદ્રગ્રહણ એક ઉપચ્છાયા ચંદ્રગ્રહણ હશે. આ ચંદ્રગ્રહણ અમેરિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયામાં દેખાશે. આ ઉપચ્છાયા ચંદ્રગ્રહણમાં ચંદ્રના આકારમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. તેમા માત્ર ચંદ્ર પર એક આછો પડછાયો હશે. ચંદ્રગ્રહણમાં ચંદ્ર પર પૃથ્વીના ફક્ત બાહ્ય છાયા જ પડશે. . જ્યોતિષ શાસ્ત્રમાં, આવા ચંદ્રગ્રહણને ગ્રહણની શ્રેણીમાં મુકવામાં આવતુ નથી. 
 
સુતક કાળ માન્ય નહી રહે  
 
5 જુલાઈ પડનારુ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહી તેથી સુતક કાળને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સુતક અવધિ ચંદ્રગ્રહણના 9 કલાક પહેલા અને સૂર્યગ્રહણના 12 કલાક પહેલાં હોય છે.. સુતક અવધિ અશુભ સમય માનવામાં આવે છે, જે દરમિયાન કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કરવામાં આવતું નથી. આ સિવાય, પૂજા અને ભોજન લેવાની પણ મનાઈ હોય છે 
 
આ રાશિઓ પર પડશે ચંદ્રગ્રહણની અસર 
 
સૂર્ય ગ્રહણ પછી 5 જઉલાઈનારોજ ગુરૂ પૂર્ણિમાના દિવસે વર્ષનુ ત્રીજી ચદ્રગહણ પડી રહ્યુ છે. 2017 પછી ગુરૂ પૂર્ણીમાના દિવસે આ ચંદ્ર ગ્રહણ લાગી રહ્યુ છે. જો કે અઅ ઉપછાયા ચંદ્રગ્રહણ હશે ત્ની ચદ્રના આકાર પર કોઈ ફેર ન દેખાય. ચંદ્રગ્રહણની આ રાશિઓ પર જરૂર અસર જોવા મળશે.  જેને કારણે આપણા જીવન પર સારો અને ખરાબ પ્રભાવ જોવા મળશે.  
 
 વર્ષના આ ત્રીજા ચંદ્ર ગ્રહણના પ્રભાવથી 12 રાશિઓમાંથી 5 રાશિઓએ વધુ સજાગ અને સતર્ક રહેવાની જરૂર છે. આ રાશિઓ પર ગ્રહણની વિપરિત અસર પડશે. આવો જાણીએ એ રાશિઓ જેના પર ચંદ્રગ્રહની વિપરિત અસર પડશે. 
 
મિથુન રાશિ પર ચંદ્રગ્રહણની સૌથી વધુ અસર પડશે. આ સમયગાળા દરમિયાન, કોઈપણ પ્રકારના વિવાદથી દૂર રહો અને ઉપાય કર્યા પછી જ ઘરેથી નીકળો. તમારા સ્વાસ્થ્યનું પણ પૂરું ધ્યાન રાખો.
 
સિંહ રાશિના જાતકો માટે  આ ગ્રહણ થોડુ ભારે હોઈ શકે છે. આ સમયે, તમારે જમીન અને વાહનોની ખરીદીવાના ચક્કરમાં પડવુ ન જોઈએ અને બીજે ક્યાંય પણ પૈસા ફસાવવો ન જોઈએ, નહીં તો રિટર્નમાં મુશ્કેલી આવી શકે છે. તમારે ધંધામાં વધુ મહેનત કરવી પડશે, જેનાથી તમને વધુ નુકસાન નહીં થાય
 
કન્યા રાશિ ઉપર ચંદ્રગ્રહણની અશુભ અસરો જોવા મળશે. આ સમય દરમિયાન તમારે કોઈપણ પ્રકારના સંક્રમથી બચવાની સૌથી વધુ જરૂર છે. ઉપરાંત, તમારે પરિવાર અને પૈસાની બાબતમાં સાવચેતી રાખવી જોઈએ 
 
વૃશ્ચિક રાશિમાં ચંદ્રગ્રહણ ઊંડી અસર છોડશે. આ સમયે તમારી પાસે કેટલીક  વધુ જવાબદારીઓ આવી જશે. જીવનસાથી સાથે મતભેદ પણ થઈ શકે છે. પિતાના સ્વાસ્થ્યની સંપૂર્ણ કાળજી લો અને વહેલી તકે ઉધાર ચુકવી દો. 
 
 ધનુરાશિ: ચંદ્રગ્રહણની સૌથી વધુ અસર મિથુન રાશિ પછી ધનુ રાશિ ઉપર જોવા મળશે. આ ગ્રહણ તમારા માટે માનસિક તાણ લાવી રહ્યું છે. આ સમયે તમારે પૈસાના મામલામાં ધ્યાન રાખવું પડશે, જેના કારણે તમને દૈનિક ખર્ચમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments