મહાશિવરાત્રિ ભગવાન શંકરના લગ્ન ઉત્સવના રૂપમાં ગણાય છે. શાસ્ત્રોમાં આ રાત શિવ સાથે શક્તિના મિલનની રાત પણ કહેવાય છે. એટલે આ રાત્રે પૌરૂષથી પ્રકૃતિના મિલનની રાત પણ કહેવાય છે. આ રાત્રે આપણે કઈક ખાસ ઉપાય કરીને ભગવાન શંકરને ખુશ કરીને આપણું ભાગ્ય ઉજ્જવળ કરી શકીએ છીએ.
રાશિ મુજબ આ ઉપાય કરીને તમે તમારા દુર્ભાગ્યને સૌભાગ્યમાં ફેરવી શકો છો.
મેષ- સંતાન સુખ માટે શિવલિંગ પર લાલ કનેરના ફૂલ ચઢાવો.