Webdunia - Bharat's app for daily news and videos

Install App

આંકડાના આ 3 ઉપાયથી દૂર થઈ શકે છે ખરાબ સમય

Webdunia
બુધવાર, 20 મે 2015 (16:13 IST)
શિવજીની પૂજામાં આંકડાના ફૂલનું  ખાસ મહ્ત્વ છે. આંકડા , એક ઝેરીલો  છોડ છે. શાસ્ત્રોમાં આ છોડનું  ઘણું  મહત્વ જણાવ્યુ  છે. આંકડાના ઝાડ એવુ  છે જેના અમે ઘણા ધાર્મિક લાભ મેળવી શકાય  છે. આપણાઘર કે ઘરની આસપાસ આ છોડ હોય તો ખૂબ ફાયદાકારી હોય છે. આ છોડને આંક કે મદાર પણ કહે છે. સામાન્યત: આ છોડ જંગલોમાં સરળતાથી ઉગી જાય છે. આજકાલ તો શહરોમાં પણ સરળતાથી જોઈ શકાય છે .જ્યાં ખાલી  જમીન હોય છે ત્યાં આ છોડ ઉગી જાય છે. અહીં જાણો આ 3 ઉપાય જેના દ્રારા તમે તમારો ખરાબ સમય દૂર કરી શકો છો. 


માન્યતા છે કે એનાથી ખરાબ સમય દૂર થઈ શકે છે. 
પહેલો  ઉપાય - આંકડાના છોડની એક મૂળનો  નાનો  ટુકડા ગળામાં તાવીજના રૂપે ધારણ કરી લો. તાવીજ માટે કાળા દોરાનો  પ્રયોગ કરો. બજારમાં આવા તાવીજ સરળતાથી મળી જાય છે. તાવીજમાં આંકડાની જડ નાખી ધારણ કરવા જોઈએ. ધારણ કરતા પહેલા જડનું  પૂજન કરવું  જોઈએ. 
 
આ છોડની જડ ગણેશજીની આકૃતિ બની જાય છે.જેને શ્વેતાર્ક ગણેશ કહેવાય છે. આથી જડના પૂજન કરતા સમયે શ્રીગણેશનું  ધ્યાન કરવુ જોઈએ. આ ઉપાયથી નકારાત્મક શક્તિઓથી આપણા શરીરની રક્ષા થાય છે.

 
બીજો ઉપાય- જો કોઈ માણસ કોઈ રોગથી પરેશાન છે તો એ રવિ પુષ્ય નક્ષત્રના દિવસે આંકડા  અને અરણ્ય ( એક છોડ)ની જડ  નિમંત્રણ આપીને તોડી લે . જડ તોડતા પહેલા જડને આમંત્રણ આપો કે તમે અમારી સાથે ચાલો. એના પછી એ જડને ગંગાજળથી ધોઈને અને સિંદૂર વગેરેથી પૂજન કરો . પૂજનના સમયે શ્રી ગણેશાય નમ: મંત્રના જાપ 108 વાર કરો. 
 
પૂજન થયા પછી રોગીના ઉપરથી આ જડ  સાત વાર પગથી માથા સુધી ફેરવીને સાંજે આ જડને કોઈ સુમસામ સ્થાન પર જઈને જમીનમાં દાટી દો. આ ઉપાય સાથે દવાઓ અને ડોક્ટરની સલાહ પર પણ ધ્યાન આપો. આ ઉપાયથી રોગીને લાભ મળી શકે છે. 
 
ત્રીજો ઉપાય - શાસ્ત્રો મુજબ આંકડાના ફૂલ શિવલિંગ પર ચઢાવવાથી બધી મનોકામનાઓ પુર્ણ થાય છે. અને અક્ષય પુર્ણ્યની પ્રાપ્તિ થાય છે. તેથી રોજ શિવલિંગ પર આંકડાના ફૂલ ચઢાવીને પૂજા કરો. આંકડાના છોડ મુખ્યદ્વાર કે ઘરની સામે હોય તો શુભ માનવામાં આવે છે.  તેના ફૂલ સામાન્ય રીતે સફેદ હોય છે. વિદ્યાનો મુજબ કેટલાક જૂના આંકડાની જડમાં શ્રીગણેશની પ્રતિકૃતિ નિર્મિત થાય છે જે સાધકને ચમત્કારી લાભ આપે છે.  

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Show comments