Webdunia - Bharat's app for daily news and videos

Install App

હોળાષ્ટકનાં કારણે લગ્ન માટે ૧૬મી એપ્રિલ સુધી રાહ જોવી પડશે

Webdunia
સોમવાર, 3 માર્ચ 2014 (12:11 IST)
P.R
તા. ૮મીથી હોળાષ્ટક બેસી જતાં હોવાથી શુભ કાર્યો આ સમયમાં થઇ શકશે નહિ. ત્યારબાદ મીનારક શરૂ થનાર છે આથી હવે હોળાષ્ટક બાદ નવા લગ્ન સમારંભો માટે ૧૬ મી એપ્રિલ સુધી રાહ જોવી પડશે. આવતીકાલથી શરૂ થતાં માર્ચ માસમાં લગ્ન માટેના ત્રણ જ મુહૂર્તો તા.૨, ૪ અને ૭ ના છે.

આગામી ૮ મીથી માર્ચથી ૧૬ મી માર્ચ સુધી હોળાષ્ટક હોવાથી આ સમય દરમિયાન કોઇ જ શુભ કાર્ય થતું નથી. હોળાષ્ટકમાં જ એટલે કે તા.૧૪ મી માર્ચથી તા.૧૪ મી એપ્રિલ સુધી મીનારક ચાલશે. આ સમય પણ શુભ પ્રસંગો યોજવા માટે સારો ગણાતો નથી.૧૬ મી એપ્રિલ બાદ જ લગ્ન સમારંભો અને શુભ કાર્યો થઇ શકશે.

દરમિયાનમાં લોકસભાની ચૂંટણી પણ એપ્રિલના બીજા સપ્તાહથી મેના અંત સુધી યોજાનાર હોવાની સંભાવનાઓ વ્યક્ત થઇ રહી છે ત્યારે એપ્રિલ માસમાં લગ્ન યોજનારાઓને પણ મ્યુનિ. કોર્પોરેશનના અતિથિગૃહો, વાડી, પાર્ટી પ્લોટ મેળવવા માટે ખાસ ચકાસણી કરવી પડશે. સામાન્ય રીતે શહેરમાં અતિથિ ગૃહોમાં ચૂંટણીના બંદોબસ્ત માટે આવતા અર્ધલશ્કરી દળોના જવાનોને રાખવામાં આવતા હોવાથી લગ્ન સમારંભો વખતના બુકિંગ માટે પણ ચકાસણી કરવી પડશે તેમ જણાવવામાં આવે છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

જૂનાગઢમાં અપહરણ કેસમાં ગણેશ ગોંડલ સહિત પાંચ આરોપીઓની જામીન અરજી નામંજૂર

અમદાવાદમાં પહેલા વરસાદમાં તંત્રની પોલ ખુલી, ખોખરા વિસ્તારમાં ભુવો પડ્યો

સુરતમાં સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં દર્દી ઉપર છત પરથી સ્લેબનો પોપડો પડ્યો

રાજકોટ અગ્નિકાંડને એક મહિનો પૂર્ણઃ કોંગ્રેસના બંધના એલાનમાં વેપારીઓ સ્વયંભૂ જોડાયા

ગુજરાતમાં ડ્રગ્સ વેચનારની મિલકતોની હરાજી કરાશે, ડ્રગ્સની હેરાફેરીમાં 2607 લોકો ઝડપાયા

વધુ જુઓ..

નવીનતમ

Shani Vakri 2024: શનિદેવ 29 જૂનથી શરૂ કરશે વર્કી ચાલ, આગામી 5 મહિનામાં આ રાશિના જાતકોના જીવનમાં વધશે પડકારો

22 જૂનનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર થશે ધન વર્ષા

21 જૂનનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે ભાગ્યનો સાથ

20 જૂનનુ રાશિફળ- આજે વૃષભ, કન્યા અને મકર રાશિના લોકો રહેશે ભાગ્યશાળી, જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ

19 જૂનનું રાશિફળ - આજે આ 4 જાતકો પર રહેશે ગણેશજીની કૃપા, તબિયત સાચવવી પડશે

Show comments