Webdunia - Bharat's app for daily news and videos

Install App

Janmashtami પર કરો આ 10 સરળ ઉપાય, મળશે દરેક કષ્ટથી મુક્તિ

Webdunia
શનિવાર, 24 ઑગસ્ટ 2024 (01:19 IST)
Janmashtami 2024 : પ્રતિવર્ષ શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ પર ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ પર્વ જન્માષ્ટમીના રૂપમાં ઉજવાય છે.  આ વર્ષે 2024માં 26 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીનો તહેવાર ઉજવાશે. આ વખતે જયંતી યોગ, રોહિણી નક્ષત્ર અને સર્વાર્થ સિદ્ધિ યોગ સહિત અનેક દુર્લભ યોગ સંયોગમાં આ તહેવાર ઉજવવા જઈ રહ્યો છે. આવામાં અહી બતાવેલા 10 ઉપાય કરીને તમે બધા પ્રકારના સંકટથી મુક્તિ મેળવી શકો છો. 
 
1. માખણ મિશ્રી : જન્માષ્ટમીના દિવસે કાનુડાને માખણ મિશ્રીનો પ્રસાદચઢાવો અને 1 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને તમારી આંગળી વડે ચટાડો.   
 
2.  હિંચકો -  આ દિવસે સુંદર રીતે શણગારેલો  હિંચકો લાવો અને તેમાં કાન્હાજીને બિરાજમાન કરો. 
 
3. ચાંદીની વાંસળીઃ આ દિવસે ચાંદીની વાંસળી લાવીને કૃષ્ણને અર્પણ કરો.  પૂજા પૂર્ણ થયા પછી, તેને તમારા પર્સમાં સાચવી રાખો. 
 
4. રાખડી : રક્ષાબંધનની જેમ આ દિવસે ભગવાન કૃષ્ણ અને બલરામજીને રાખડી બાંધો.
 
5. તુલસી - ભગવાન શ્રી કૃષ્ણની પૂજન અને ભોગ પ્રસાદીમાં તુલસીનો પ્રયોગ જરૂર કરો. 
 
6. ફૂલ - હરસિંગાર, પારિજાત કે શૈફાલીના ફૂલ શ્રીકૃષ્ણને ખૂબ જ પસંદ છે. તેથી શ્રી કૃષ્ણ પૂજનમાં તેનો પ્રયોગ જરૂર કરો. 
 
7. ફળ અને અનાજ - કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ધાર્મિક સ્થળ પર જઈને ફળ અને અનાજનુ દાન કરો. 
 
 
8. ગાય-વાછરડુ - આ દિવસે ગાય વાછરડાની નાની મૂર્તિ લાવવાથી પણ ધન અને સંતાન સંબંધી ચિંતાઓ દૂર થાય છે. 
 
9. મોરનુ પીંછુ - મોરનુ પીંછુ શ્રીકૃષ્ણને ખૂબ જ પ્રિય છે. તેથી જન્માષ્ટમી પૂજનમાં તેને જરૂર ચઢાવો. પણ ધ્યાન રાખો કે એ મોરનુ પીછુ એ જ મોરનુ પીંછુ અર્પિત કરો જે મોરે સ્વંય જ ત્યાગી દીધુ હોય. 
 
10. શંખ - જન્માષ્ટમી પર ભગવાન કૃષ્ણના નંદલાલ સ્વરૂપના શંખમાં દૂધ નાખીને અભિષેક કરો. તેનાથી તે પ્રસન્ન થશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

Happy Ram Navami 2025 Wishes in Gujarati - રામ નવમીની શુભેચ્છા

Navratri Day 8: મહાગૌરી માતાના મંત્ર, જાણો દૈવી સ્વભાવ, શું પ્રસાદ ચઢાવશો

Bhandara Bhojan- ભંડારામાં ભોજન ન ખાવું જોઈએ, જાણો કારણ

Ram Navami 2025- સુખ અને સૌભાગ્ય વધારવા માટે રામનવમીના દિવસે શું કરવું અને કઈ વસ્તુઓ ટાળવી? જાણો..

Navratri Havan- નવરાત્રી માં ગાયના છાણથી હવન શા માટે કરવામાં આવે છે? મહત્વ જાણો

આગળનો લેખ
Show comments