સદાશિવ, પરબ્રહ્મ, સિદ્ધ, આત્મા બધા જ શબ્દો દ્વારા તે એક જ પરમાત્માનું નામ લેવામાં આવે છે. શબ્દ ભેદ હોવા છતાં પણ અર્થની દ્રષ્ટિએ તે એક જ છે.
सर्वान्देवान्नमस्यन्ति नैकं देवं समाश्रितः। जितेन्द्रिया चितक्रोधा दुर्गाण्यतितरन्ति ते ॥
ઈંદ્રિયો તેમજ ક્રોધ પર વિજય પ્રાપ્ત કરનારો જે ગૃહસ્થ કોઈ એક દેવને આશ્રિત ન કરીને બધા જ દેવોને આદરપૂર્વક નમસ્કાર કરે છે તે સંસારરૂપી દુર્ગોને પાર કરી લે છે.
જે મન,વચન અને કાયાના દંડોથી રહિત છે, દરેક પ્રકારના દ્વંદથી, સંઘર્ષથી મુક્ત છે, જેને કોઈ પણ વસ્તુની ક્ષમતા નથી, જે શરીર રહિત છે, જે કોઈના સહારે નથી રહેતો, જેમાં કોઈની પ્રત્યે પણ રાગ નથી, દ્વેષ નથી, જેની અંદર મુઢતા નથી, ભય નથી તે જ છે- મુક્ત આત્મા.