Webdunia - Bharat's app for daily news and videos

Install App

પંજાબને જીત ન અપાવી શક્યા આશુતોષ - શશાંકની જોડી, અંતિમ ઓવરમાં 26 રન બનાવીને પણ હાર્યુ મેચ

pbks vs srh
Webdunia
બુધવાર, 10 એપ્રિલ 2024 (08:43 IST)
Punjab Kings vs Sunrisers Hyderabad: IPL 2024 ના રોમાંચક મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે પંજાબ કિંગ્સને 2 રનથી માત આપી. આ મેચમાં અંતિમ ઓવર સુધી કોઈપણ ટીમની જીત પાક્કી લાગી રહી નથી.  શ્વાસ રોકી દેનારી આ મેચમાં અંતમાં હૈદરાબાદે બાજી મારી.  સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે પહેલા બેટિંગ કરતા પંજાબ કિંગ્સને 183 રનનુ ટારગેટ આપ્યુ. જેના જવાબમાં પંજાબ કિંગ્સની ટીમ 180 રન પર ઓલઆઉટ થઈ ગઈ. 
 
પંજાબ કિંગ્સને મળી હાર 
પંજાબ કિંગ્સનુ મેચમાં ખૂબ જ ખરાબ વાત એ રહી કે જૉની બેયરસ્ટો ખાતુ ખોલ્યા વગર આઉટ થયા. ત્યારબાદ શિખર ધવન ફક્ત 14 રન જ બનાવી શક્યા.  ત્યારબાદ પ્રભાસિમસન સિંહ પણ ચાર રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ આ પછી સેમ કુરન અને સિકંદર રઝાએ થોડો સમય વિકેટ પર ટકી રહેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ બંને પોતાની સારી શરૂઆતને મોટી ઇનિંગ્સમાં બદલી શક્યા ન હતા. સેમે 29 રન અને રઝાએ 28 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં બધાને લાગ્યું કે પંજાબ કિંગ્સની ઈનિંગ જલ્દી ખતમ થઈ જશે. પરંતુ આ પછી શશાંક સિંહ અને આશુતોષ શર્માએ શાનદાર બેટિંગ કરી હતી. આ બંને ખેલાડીઓ પંજાબ કિંગ્સને જીતની નજીક લઈ ગયા, પરંતુ જીતી શક્યા નહીં. શશાંક સિંહે 46 રન અને આશુતોષે 33 રન બનાવ્યા હતા.
 
અંતિમ ઓવરમાં જોઈતા હતા 29 રન 
અંતિમ ઓવરમાં પંજાબ કિંગ્સને જીત માટે 29 રનની જરૂર હતી. પણ શશાંક અને આશુતોષ 26 રન જ બનાવી શક્યા. અંતિમ ઓવરમાં બોલિંગ જયદેવ ઉનાદકટે કરી હતી. હૈદારાબાદ માટે ભુવનેશ્વર કુમારે 2 વિકેટ લીધી. પેટ કમિંસ, ટી નટરાજન નિતીશ રેડ્ડી અને જયદેવ ઉનાદકટના ખાતામાં એક એક વિકેટ ગઈ.  
 
નીતીશ રેડ્ડીએ અડધી સદી ફટકારી હતી
એક સમયે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે પંજાબ કિંગ્સ સામે 64 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ટીમના મહત્વના બેટ્સમેનો પેવેલિયન પરત ફર્યા હતા. ત્યારબાદ નીતીશ રેડ્ડીએ હૈદરાબાદ માટે શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 37 બોલમાં 64 રન બનાવ્યા હતા. તેના સિવાય ટ્રેવિસ હેડે 21 રન બનાવ્યા હતા. તેના સિવાય અબ્દુલ સમદે અંતમાં 25 રનનું યોગદાન આપ્યું હતું. આ ખેલાડીઓના કારણે જ સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ મોટો સ્કોર કરી શકી હતી. પંજાબ કિંગ્સ તરફથી અર્શદીપ સિંહે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સૂર્ય અને ચંદ્રગ્રહણના દિવસે જન્મેલા બાળકો કેવા હોય છે ? જાણો તેમના સ્વભાવ અને ભવિષ્ય વિશે

મોરિંગા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક, જાણો તેને તમારા આહારમાં કેવી રીતે સામેલ કરવું?

Paneer Thecha Recipes - આ રેસીપી બનાવશો તો ઘરમા બધા જ સફાચટ કરી દેશે

એટલા માટે તમારે 3 મહિના સુધી તમારી પ્રેગ્નન્સી વિશે કોઈને કહેવું જોઈએ નહીં, ખુદ ડોકટરો પણ ના પાડે છે

કુંભારની શીખામણ

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા સાઉથ એક્ટર અભિનેતા-દિગ્દર્શકનું નિધન, 48 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, સિનેમા જગતમાં શોક

સોનુ સૂદની પત્ની સોનાલી સૂદને મુંબઈ-નાગપુર હાઈવે પર અકસ્માત, ઈજા થઈ હતી

KL Rahul and Athiya Shetty Baby - આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના ઘરે આવી નાનકડી પરી, સુનીલ શેટ્ટી બન્યા નાના

ભારતનું આ સુંદર હિલ સ્ટેશન, જ્યાં માત્ર 24 ઘર અને 4 દુકાનો છે

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

આગળનો લેખ
Show comments