Webdunia - Bharat's app for daily news and videos

Install App

છાશ પીવાથી 500 લોકોને ફૂડ પોઈઝન

Webdunia
સોમવાર, 16 મે 2022 (15:23 IST)
ભાવનગરના સિંહોરમાં 500 થી વધુ લોકોને એકસાથે ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. ભાવનગરના ફેમસ મુનિ પેંડાવાળાની છાશ પીવાથી એકસાથે 500 લોકોની તબિયત લથડી હતી. ત્યારે રવિવારથી સોમવાર દરમિયાન સિંહોરની તમામ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ ગઈ હતી. તેમજ આરોગ્ય તંત્ર પણ દોડતુ થયુ હતું. 
 
સિહોરમાં ત્રણ અલગ અલગ પ્રસંગો હતા. લીલીપીર સહિતના વિસ્તારમાં લગ્નપ્રસંગમાં જમણવાર બાદ છાશ રાખવામાં આવી હતી. જેને પીધા બાદ લોકોની તબિયત બગડી હતી. પ્રસંગ બાદ લોકોને ઝાડા ઉલટી થવા લાગ્યા હતા. ત્યારે સારવાર માટે તમામને સિહોરના દવાખાનામાં લઈ જવાયા હતા.
 
રાત પડતા પડતા તો સિહોરની તમામ હોસ્પિટલો ભરાઇ ગઇ હતી. આ કારણે પોલીસ તથા આરોગ્ય વિભાગ બંને દોડતા થયા હતા. ફૂડ પોઇઝનિંગની અસર નાના બાળકોમાં વધારે જોવા મળી હતી. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

આગળનો લેખ
Show comments