Webdunia - Bharat's app for daily news and videos

Install App

IPL 2020 - મનદીપની દિલેરી, ગેલ અને શમીએ પંજાબને કલકતા પર અપાવી શાનદાર જીત

Webdunia
મંગળવાર, 27 ઑક્ટોબર 2020 (07:25 IST)
ત્રણ દિવસ પહેલા પોતાના પિતાને ગુમાવ્યા હોવા છતાં સાહસિક ઈનિગ રમનારા મનદીપ સિંહ અને ક્રિસ ગેલની હાફ સેંચુરીની મદદથી અને બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી કિંગ્સ ઈલેવન પંજાબે સોમવારે ઈન્ડિયન પ્રીમિયર લીગની નિર્ણાયક મેચમાં કલકત્તા નાઈટ રાઈડર્સને આઠ વિકેટથી હરાવી પ્લેઓફની આશા પ્રબળ કરી લીધી. પંજાબના બોલરોના શાનદાર પ્રર્દશન કરતા કેકેઆરને નવ વિકેટ  પર 149 રન પર રોકી લીધુ. 
 
ગિલે 45 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અડધી સદી પૂરી કરી. તે 57 રન બનાવી આઉટ થયો. તેની વિકેટ મોહમ્મદ શમીએ લીધી. જ્યારે મોર્ગને તોફાની બેટિંગ કરી 25 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 40 રન બનાવ્યા. તેની વિકેટ રવિ બિશ્નોઈએ લીધી. મોગર્ન સિવાય લોકી ફર્ગ્યુસન 13 બોલમાં 24 રન બનાવી અંત સુધી અણનમ રહ્યો. જ્યારે અન્ય બેટ્સમેનોની વાત કરીએ તો નીતીશ રાણા 0, રાહુલ ત્રિપાઠી 7, દિનેશ કાર્તિક 0, સુનીલ નરેન 6, કે.નાગરકોટી 6, કુમિન્સ 1 અને વરુણ ચક્રવર્તી 2 રન બનાવી પેવેલિયન ભેગા થયા. આમ, કોલકાતાએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા.
 
IPL 2020ની 46મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 150 રનનો પીછો કરતા કિંગ્સ ઇલેવન પંજાબે 18.5 ઓવરમાં 2 વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો છે. આ મેચ જીતીને પંજાબ 12 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ્સ ટેબલમાં ચોથા સ્થાને આવી ગયું છે અને પોતાની દાવેદારી વધુ મજબૂત કરી છે. જ્યારે નાઈટ રાઈડર્સના પણ 12 પોઈન્ટ્સ છે, પરંતુ પંજાબ કરતા ખરાબ નેટ રનરેટ હોવાથી પાંચમા સ્થાને છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments