Webdunia - Bharat's app for daily news and videos

Install App

IPL 2020 શરૂ થવાના એક દિવસ પહેલા બદલાયો નિયમ, હવે દરેક ટીમમાં રહેશે ફક્ત 17 ખેલાડી

IPL 2020
Webdunia
શુક્રવાર, 18 સપ્ટેમ્બર 2020 (11:58 IST)
IPL 2020ને શરૂ થવામાં માત્ર થોડાક જ કલાક બાકી છે. આ પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. પહેલીવાર આઈપીએલના ઈતિહાસમાં એવુ થશે કે ટીમના બધા ખેલાડી  હોટલથી સ્ટેડિયમમાં નહી જાય, પણ પસંદગીના ખેલાડીઓ જ ટીમ સાથે સ્ટેડિયમમાં જવાની અનુમતિ રહેશે.  કોરોના વાયરસ મહામારીને જોતા બીસીસીઆઈ અને આઈપીએલ કમિટી તમામ નિયમોનુ પાલન કરવુ પડી રહ્યુ છે. જેનાથી સોશિયલ ડિસ્ટેસિંગ બનાવી શકાય. 
 
નવી માહિતી મુજબ આઈપીએલ ટીમ જ્યારે યુએઈમાં મેચ માટે હોટલથી સ્ટેડિયમમાં જશે તો તેમની સાથે એ લોકો હશે જે ટીમ હોટલના બાયો બબલમાં સામેલ થશે. જએમા બે વેટર્સનો સમાવેશ થશે. દરેક ટીમ બે બસમાં મુસાફરી કરશે. ભારતમાં ટીમ એક જ બસમાં યાત્રા કરતી હતી, પણ કોરોનાને કારણે તેમા ફેરફાર કરવો પડ્યો છે.  મેચમાં જે અધિકારી સામેલ હશે તે પણ આજ બાયો બબલમાં રહેશે. ઉલ્લેખનીય છે કે એક એક ટીમની પાસે 22 થી 25 ખેલાડીઓનુ દળ છે. 
 
યુએઈથી એક સૂત્રના જણાવ્યા મુજબ મેચના દિવસે જ્યારે ટીમ હોટલથી સ્ટેડિયમ માટે જશે તો બે બસોમાં ફક્ત 17 ખેલાડી અને 12 કોચિંગ/સપોર્ટ સ્ટાફના સભ્ય સામેલ થશે. આ ઉપરાંત બે વેટર્સ અને બે લૉજિસ્ટિક સાથે જોડાયેલા લોકોનો સમાવેશ રહેશે. જે લોકો ટીમ હોટલમાં બાયો બબલનો બહાગ રહેશે એ જ લોકો ટીમ સાથે બસમાં મુસાફરી કરી શકશે.  તમે અહી બસની ફક્ત 50 કા ક્ષમતાનો જ  ઉપયોગ કરી શકે છે. 
 
તેમણે વધુમાં ઉમેર્યું, "અબુધાબી, દુબઇ, શારજાહમાં આઈપીએલ સાથે સંકળાયેલ દરેક વ્યક્તિ ભારતીય હોય કે અન્ય કોઈ રાષ્ટ્રીયતાનો હોય, તેઓએ દર છઠ્ઠા દિવસે કોરોના ટેસ્ટ કરાવવો પડશે. આમાં સ્ટેડિયમ સ્ટાફ, પીચ / ગ્રાઉન્ડ સ્ટાફ અને ટૂર્નામેન્ટન સાથે જાડાયેલ લોકોનો સમાવેશ થાય છે. " બીસીસીઆઈએ તેના પ્રોટોકોલમાં આની પુષ્ટિ કરી દીધી છે. સંસર્ગનિષેધમાં પણ, બધા ખેલાડીઓ અને સભ્યોએ યુએઈ પહોંચ્યા પછી 3-3 કોરોના પરીક્ષણો કરાવ્યા.
 
તમને જણાવી દઈએ કે, યુએઈમાં, ખાસ કરીને અબુધાબીમાં, કોવિડ -19 સંબંધિત પ્રોટોકોલ એકદમ સ્ટ્રીક છે અને આઈપીએલ ટીમોએ તેમને સ્વીકારવી પડશે. ઉલ્લેખનીય છે કે યુએઈ પહોંચ્યા પછી ચેન્નઈ સુપર કિંગ્સના 2 ખેલાડીઓ સહિત 13 સભ્યો  કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા હતાં. આ પછી, દિલ્હીની રાજધાનીના ફિઝીયોથેરાપિસ્ટ પણ કોવિડ ટેસ્ટમાં પોઝીટીવ જોવા મળ્યા.  સાથે જ  બીસીસીઆઈની મેડિકલ ટીમનો એક  સભ્ય પણ કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે.
 
કોરોના વાયરસ રોગચાળાને લીધે, આ વખતે આઇપીએલ ભારતમાં નહીં પરંતુ યુએઈમાં રમાય રહી છે. આ રોગચાળાને કારણે સ્ટેડિયમમાં દર્શકોના આગમન પર પ્રતિબંધ છે. આઈપીએલની 13 મી સીઝનની પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરના રોજ અબુ ધાબીના ગ્રાઉન્ડ પર વર્તમાન ચેમ્પિયન  મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. મેચ ભારતીય સમય અનુસાર સાડા સાત વાગ્યે શરૂ થશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

દૂધીનો હલવો બનાવવાની રીત

તેનાલી રામા અને જાદુગર

જો તમે નવરાત્રી દરમિયાન ઉપવાસ કરી રહ્યા છો, તો જાણો શું ખાવું અને શું ન ખાવું? નબળાઈ ન લાગે તે માટે

આ નવરાત્રીમાં માતા રાણીને અર્પણ કરો સીતાભોગ, જાણો રેસિપી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

એમ્પુરાનમાંથી હટાવાશે ગુજરાત રમખાણોના સીન, રાજકીય વિવાદ વચ્ચે અભિનેતા મોહનલાલે માંગી માફી

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

આગળનો લેખ
Show comments