Webdunia - Bharat's app for daily news and videos

Install App

કૉંગ્રેસને અમરેલી બેઠક પર પરેશ ધાનાણીને શા માટે ઉતારવા પડ્યા?

હરિતા કંડપાલ
ગુરુવાર, 4 એપ્રિલ 2019 (10:01 IST)
ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ લોકસભા ચૂંટણી માટે અમરેલી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી દીધી છે.
ગુજરાત કૉંગ્રેસના નેતા મનીષ દોશીએ આ વાતને સમર્થન આપ્યું છે.
ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાને વિધાનસભાની ચૂંટણીમાં હરાવનારા પરેશ ધાનાણી કૉંગ્રેસનો યુવા ચહેરો છે.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં દોશીએ જણાવ્યું, "ધાનાણી માત્ર પાટીદારોમાં જ નહીં પણ અન્ય સમાજોમાં પણ સ્વીકૃત છે."
દોશીના જણાવ્યા અનુસાર કૉંગ્રેસની સૅન્ટ્રલ ઇલેક્શન કમિટી દ્વારા જે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે તેમાં ગાંધીનગર, જામનગર, સુરેન્દ્રનગર અને અમદાવાદ પૂર્વના ઉમેદવારો પણ જાહેર કરવામાં આવ્યા છે.
એ યાદી અનુસાર ગાંધીનગરથી કૉંગ્રેસે સી. જે. ચાવડાને ટિકિટ આપી છે, જામનગરથી મૂળુભાઈ કંડોરિયા અને સુરેન્દ્રનગરથી સોમાભાઈ પટેલને ઊતારવામાં આવ્યા છે. જ્યારે અમરેલી બેઠક પરથી પરેશ ધાનાણીને ઉમેદવાર બનાવાયા છે.
વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્યના જણાવ્યા અનુસાર અમરેલી કૉંગ્રેસની મજબૂત બેઠક છે અને સૌરાષ્ટ્રમાં પરેશ ધાનાણી મોટા નેતા ગણાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાત સરકારે ખેડૂતો માટે જાહેર કર્યું 1419 કરોડનું પેકેજ, 7 લાખ ખેડૂતોને મળશે લાભ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

અમેરિકામાં ભારતીયોને મોટી ભેટ, આ રાજ્યએ દિવાળી પર સત્તાવાર રજા જાહેર કરી

Who is Vasundhara Oswal: કોણ છે વસુંધરા ઓસવાલ ? જેની યુગાંડા પોલીસે કરી ધરપકડ, અરબપતિ બિઝનેસમેનની 26 વર્ષીય પુત્રીને Google પર શોધી રહ્યા છે લોકો

Shocking: Mcdonald નુ Burgers ખાવાથી એકનુ મોત, 49 લોકો હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments