Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધન પ્રાપ્ત કરવા માંગો છો તો રાશિ મુજબ કરો આ મંત્રનો જાપ

Webdunia
ગુરુવાર, 17 મે 2018 (11:00 IST)
જ્યોતિષશાસ્ત્ર મુજબ દરેક જાતકની ચદ્ર રાશિ હોય છે અને દરેક ચન્દ્ર રાશિનો સ્વામી ગ્રહ હોય છે. આ રીતે દરેક ગ્રહનો એક ઈષ્ટ દેવતા પણ હોય છે. જો કોઈ સ્વામી ગ્રહના ઈષ્ટ દેવતાને પ્રસન્ન કરી લે તો કોઈ પણ જાતકના જીવનમાં આવતી મુશ્કેલીઓથી છુટકારો મળે છે.
 
મેષ -  રાશિનો સ્વામી મંગળ ગ્રહ છે આ રાશિના જાતકોના જીવનમાં આવી રહેલી બધી સમસ્યાઓ માટે જો ભગવાન હનુમાનજીની આરાધના કરવામાં આવે તો આ ખૂબ મદદગાર સિદ્ધ થઈ શકે છે. 
 
મંત્ર- ૐ હનુમતે નમ: નો જાપ દરરોજ કરવાથી, આર્થિક અને નાણાકીય ક્ષેત્રમાં લાભ મળે છે. 
 
વૃષભ -  રાશિનો સ્વામી ગ્રહ શુક્ર ગણાય છે.  આ રાશિના જાતકોએ ધન સંબંધિત બધી સમસ્યાઓના અંત માટે માતા દુર્ગાની પૂજા કરવી લાભદાયક સિદ્ધ હોઈ શકે છે. 
 
મંત્ર- ૐ દુર્ગાદેવયૈ નમ:ના જાપથી નાણાકીય સમસ્યાઓના અંત હોય છે. 
 
મિથુન -  નો સ્વામી ગ્રહ બુધ ગણાય છે. આ રાશિના જાતકોને ભગવાન ગણેશજીની પૂજા કરવાથી પ્રસિદ્ધી મળી શકે છે. 
 
મંત્ર - ૐ ગં ગણપતે નમ:ના જાપથી નોકરી અને ધંધામાં આવી રહેલ પરેશાનીઓનો અંત થાય છે. 
કર્ક -  રાશિ જાતકોમાં ચંદ્રમા ગ્રહ રાશિનો સ્વામી હોય છે. જ્યોતિષ મુજબ ચંદ્રમા પર ભગવાન શિવનું  રાજ છે. આ રાશિના જાતકોને ધન સંબંધિત લાભ પ્રાપ્ત કરવા હોય તો ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. 
 
મંત્ર-  ૐ નમ:શિવાય મંત્રના હમેશા જાપ ફળદાયક સિદ્ધ હોય છે. 
 
સિંહ -  રાશિનો સ્વામી ગ્રહ સૂર્ય છે સિંહ રાશિના જાતકોને ભગવાન સૂર્યની પૂજા કરવાથી અને નિત્ય તેમને અર્ધ્ય આપવાથી ઉર્જા મળે છે. 
 
મંત્ર - ૐ સૂર્યાય નમ:નો જાપ કરવાથી લાભ મળે છે. 
 
કન્યા -  રાશિનો સ્વામી બુધ ગ્રહ ગણાય છે. આ રાશિના જાતકોને ભગવાન ગણેશજીની પૂજા કરવાથી તરત જ ધન સંબંધિત સમસ્યાઓમાં લાભ થાય છે. 
 
મંત્ર ૐ ગં ગણપતે નમ:મંત્રનો જાપ દરરોજ સવારે-સાંજે કરવાથી લાભ મળે છે. 
 
તુલા -  રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે. તુલારાશિવાળાને દેવી લક્ષ્મીજીની પૂજા લાભદાયક ગણાય છે. તુલા રાશિના જાતક દેવી લક્ષ્મીજીને પ્રસન્ન કરી લે તો ધન સંબંધિત સમસ્યાઓનો અંત થઈ જાય છે. 
 
મંત્ર-  ૐ  મહાલક્ષ્મયૈ નમ: મંત્રનો જાપ કરવાથી લક્ષ્મીની વૃદ્ધિ થાય છે. 
વૃશ્ચિક -  રાશિનો ગ્રહ મંગળ છે. વૃશ્ચિક રાશિવાળા માટે હનુમાનજીની પૂજા શુભ જણાવી છે. 
 
મંત્ર-  ૐ હં હનુમતે નમ: મંત્રના જાપથી શારીરિક દુખાવો અને ધન સંબંધિત દુખાવાનો અંત થાય છે. 
 
ધનુ રાશિ -  બૃહસ્પતિ ગ્રહ સાથે સંબંધ રાખે છે. ધનુ રાશિ વાળા માટે ભગવાન વિષ્ણુની પૂજા શુભ હોય છે. 
 
મંત્ર ૐ શ્રી વિષ્ણવે નમ: મંત્રના હમેશા જાપથી ધંધામાં લાભ થાય છે.
 
મકર - રાશિનો સ્વામી ગ્રહ શનિ છે. તેથી શનિ કે હનુમાનજીની પૂજા, આ રાશિના જાતકો માટે શુભ હોય છે. 
 
મંત્ર - ૐ શમ શનિશ્વરાયે નમ: મંત્રનો જાપ કરવથી મુશ્કેલીઓ દૂર હોય છે. અને સુખ શાંતિ મળે છે. 
 
કુંભ - નો સ્વામી શનિ છે. શનિના ગુરૂ ભગવાન શંકર ગણાય છે. તેથી આ રાશિવાળાને શનિની સાથે-સાથે ભગવાન શંકરની પૂજા કરવી જોઈએ. 
 
મંત્ર- ૐ મહામૃત્યુંજય નમ: મંત્રનો જાપ દરરોજ સવારે સાંજે 108 વાર કરવાથી બધા પ્રકારના  દુખ દૂર હોય છે. 
 
મીન -  રાશિનો સ્વામી બૃહસ્પતિ કહેવાય છે. આ રાશિના જાતકોએ  ભગવાન નારાયણનું  ધ્યાન અને મંત્ર જાપ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓમાં લાભ મળે છે. 
 
મંત્ર - ૐ નારાયણા નમ: અને  ૐ ગુરૂવે મંત્રનો જાપ શુભ ફળ આપે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

20 ઓકટોબરનું રાશિફળ - આજે કરવા ચોથ પર આ ચાર રાશિઓના જાતકોની મનની ઈચ્છા પૂરી થશે

19 ઓકટોબરનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર શનિદેવ રહેશે મહેરબાન, મળશે ધન સંપત્તિનો લાભ

18 ઓક્ટોબરનુ રાશિફળ - આજે આ રાશિના જાતકો પર શનિદેવની રહેશે કૃપા

17 ઓક્ટોબરનુ રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

17 ઓક્ટોબરના રોજ નીચ રાશિમાં ગોચર કરશે સૂર્ય, આ 5 રાશિઓને આવશે મુશ્કેલી, આ ઉપાય અપાવશે લાભ

આગળનો લેખ
Show comments