Webdunia - Bharat's app for daily news and videos

Install App

સીરિયલ બ્લાસ્ટ કેસની સુનાવણી પુરી

Webdunia
શુક્રવાર, 3 સપ્ટેમ્બર 2021 (19:41 IST)
વર્ષ 2008 માં અમદાવાદને રક્તરંજિત કરનારા સીરિયલ બ્લાસ્ટ કેસ અને સુરત બ્લાસ્ટ કેસમાં 77  આરોપીઓ સામેની જુબાની અને અંતિમ દલીલો પૂર્ણ થઇ છે  2008માં અમદાવાદ અને સુરતમાં વિવિધ સ્થળો પર બોમ્બ મૂકી કરાયેલા બ્લાસ્ટમાં અમદાવાદની 20 ફરિયાદો અને સુરતની 15 ફરિયાદોને ભેગી કરી કુલ 35 ફરિયાદોની એકસાથે ટ્રાયલ શરુ કરવામાં આવી હતી. આ બ્લાસ્ટમાં અમદાવાદમાં 58  લોકોના મોત થયા હતા અને 244  લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. 
 
આ કેસમાં કુલ 77 લોકોને આરોપી બનાવાયા હતા. લાંબી સુનાવણી બાદ ફરિયાદ પક્ષે 1100 સાક્ષીઓના નિવેદનો નોંધ્યા હતા. ડિસેમ્બર 2009 થી આ કેસની સુનાવણી ચાલી રહી હતી.  26 જુલાઈ 2008 ના રોજ અમદાવાદ શહેરમાં 70 મિનિટમાં કુલ 21 બોમ્બ વિસ્ફોટ થયા હતા. આ બોમ્બ વિસ્ફોટોમાં 56 લોકોના મોત થયા હતા, જ્યારે 200 લોકો ઘાયલ થયા હતા. પોલીસે દાવો કર્યો હતો કે ઇન્ડિયન મુજાહિદ્દીન સાથે જોડાયેલા લોકોએ આ બોમ્બ વિસ્ફોટો કર્યા હતા. આરોપોમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે ઈન્ડિયન મુજાહિદ્દીને 2002 માં ગોધરાની ઘટના બાદ થયેલા રમખાણોનો બદલો લેવા માટે આ બ્લાસ્ટ કર્યો હતો

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત

વાવાઝોડા 'દાના'નો કહેર: આગામી 24 કલાક ખતરનાક, રેડ એલર્ટ જારી, તોફાની પવન સાથે ભારે વરસાદ

આઈસ્ક્રીમ મોંઘી થશે, હવે તમારે 18 ટકા જીએસટી ચૂકવવો પડશે

ઝિમ્બાબ્વેએ ટી20 માં હાંસલ કરી અત્યાર સુધીની સૌથી મોટી જીત, રેકૉર્ડ બનાવ્યો, ફટકાર્યા 344 રન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે થઈ દ્વિપક્ષીય બેઠક

આગળનો લેખ
Show comments