Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગાંધીજી રાજકોટની જે શાળામાં ભણતાં હતાં ત્યાં બનાવાશે મ્યુઝિયમ

Webdunia
ગુરુવાર, 4 મે 2017 (14:45 IST)
રાજકોટમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જે શાળામાં ભણતા હતાં ત્યાં ગુજરાત સરકારે મ્યુઝિયમ બનાવવાનો આદેશ આપ્યો છે. શાળાના 150 જેટલા વિદ્યાર્થીઓને એલસી પણ આપી દેવામાં આવ્યાં છે. આ સ્કૂલને મ્યુઝિયમ તરીકે વિકસાવવા કોર્પોરેશન દ્વારા અગાઉ જાહેરાત કરાઈ હતી. ત્યારે બજેટમાં તેના માટે રૂ. 10 કરોડ ગ્રાન્ટ ફાળવાઈ છે.

આ શાળાની સ્થાપના 1868માં કરવામાં આવી હતી. ત્યારે રાજકોટ હાઈસ્કૂલ તરીકે ઓળખાતી. વર્ષ 1907માં તેનું નામકરણ આલ્ફ્રેડ હાઈસ્કૂલ તરીકે કરાયું. અત્યારે જે બિલ્ડિંગ છે તેનું બાંધકામ જૂનાગઢના બાબી વંશના નવાબે કરી આપ્યું હતું. રાષ્ટ્રની સ્વતંત્રતાના શ્રેયી ગાંધીજીની સ્મૃતિમાં આ શાળાનું નામકરણ મોહનદાસ ગાંધી હાઈસ્કૂલ કરવામાં આવ્યું છે.
જો કે આ વિરાટ વારસાની જાળવણી કરવામાં શિક્ષણાધિકારી કચેરી સહિતના સરકારી તંત્રો નિષ્ફળ નિવડયા છે. આ સ્કૂલને મ્યુઝિયમમાં ફેરવવાની યોજના થોડા વખત પહેલા મુકાઈ હતી. જેના ભાગ રુપે શાળામાંથી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તેમજ શિક્ષણ વ્યવસ્થાને અન્યત્રે ખસેડવામાં આવી હતી. ગાંધી સ્કૃતિઓ સાથે જોડાયેલા પોરબંદરના કીર્તિ મંદિરની માફક મોહનદાસ ગાંધી હાઈસ્કૂલને મ્યુઝિયમ તરીકે વિકસાવવા રાજ્ય સરકાર દ્વારા બજેટમાં ૧૦ કરોડની જોગવાઈ કરાઈ છે. કોર્પોરેશનની યોજનાને સરકારે આર્થિક સહાય કરી આપતા આ કામગીરી વહેલી તકે શરુ થશે. મઈટીપલ સ્ક્રીન, ગ્રાફિકસ્, સર્કયુલર વિડીયો જેવા ઉપકરણો વડે મ્યુઝિયમ તરીકે વિકસાવવામાં આવશે.
 
 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

આગળનો લેખ
Show comments