Webdunia - Bharat's app for daily news and videos

Install App

શહીદ સૈનિક પર પોતાની ટિપ્પણીને લઈને ઓમપુરીએ માંગી માફી

Webdunia
બુધવાર, 5 ઑક્ટોબર 2016 (11:58 IST)
શહીદ થયેલ ઈટાવાના જવાન નિતિન યાદવ પર એક ટીવી ચેનલના લાઈવ કાર્યક્રમમાં ટિપ્પણી કરવી ફિલ્મ કલાકાર ઓમપુરીની મુશ્કેલી વધી શકે છે.  શહીદ સૈનિક પર વિવાદાસ્પદ નિવેદન આપીને ઘેરાયેલ અભિનેતા ઓમપુરીએ માફી માંગી લીધી છે. ઓમપુરીએ કહ્યુ કે દેશની જનતા જો મને કોઈ સજા આપવા માંગે છે તો એ માટે હુ તૈયાર છુ. ઉલ્લેખનીય છે કે બારામૂલામાં થયેલ શહીદ સૈનિક નિતિન યાદવને લઈને ઓમપુરીએ કહ્યુ હતુ કે તેને સૈનિકમાં ભરતી થવા માટે કોને કહ્યુ હતુ ? 
 
બોલીવુડ કલાકાર ઓમપુરીએ સેના પર આપેલ નિવેદનથી દેશ ગુસ્સામાં છે. દેશભરમાં ઓમપુરીના નિવેદનની ખૂબ નિંદા થઈ રહી છે. બોલીવુડમાં પણ ઓમપુરીના નિવેદનને લઈને નારાજી બતાવાય રહી છે. નેતાથી લઈને અભિનેતા સુધી બધા ઓમપુરીને તેમના નિવેદન માટે આડા હાથે લઈ રહ્યા છે. 
 
એકબાજુ અનુપમ ખેરે ટ્વીટ કરી ઓમપુરીના નિવેદન પર દુખ બતાવ્યુ છે તો બીજી બાજુ શહીદને અંતિમ વિદાય આપવા ઈટાવા પહોંચેલ યૂપીના કેબિનેટ મંત્રી શિવપાલ યાદવે પણ ઓમપુરીના નિવેદનને શરમજનક બતાવ્યુ અને કહ્યુ કે આવા લોકોને ગદ્દાર બોલવા જોઈએ.  ઉલ્લેખનીય છે કે એક પ્રાઈવેટ ચેનલના શો હમ તો પૂછેંગે દરમિયાન ઓમપુરીએ શહીદ જવાન નિતિન પર કહ્યુ હતુ કે તેને કોણે કહ્યુ હતુ સૈનિકમાં ભરતી થવાનુ ? 
 
બોલીવુડ કલાકાર અનુપમ ખેરે ટ્વીટ કરી કહ્યુ કે ઓમપુરીના નિવેદનથી તેમને દુખ થયુ છે. તેમણે લખ્યુ કે હુ તમારી ઈજ્જત કરુ છુ પણ ગઈકાલે ટીવી પર દેશના સૈનિક વિશે તમારી વાત સાંભળીને દુખ થયુ. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

હવે દુનિયાની સેનાઓ કરશે ઈંડિયન એયરફ્રાક્ટનો ઉપયોગ, કયો દેશ કરશે મદદ જાણી લો

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

આગળનો લેખ
Show comments