Webdunia - Bharat's app for daily news and videos

Install App

બનાસકાંઠા જિલ્લાનાં ૨૦૦ ગામના પૂરપીડિતો ચૂંટણીનો બહિષ્કાર કરશે

Webdunia
સોમવાર, 25 સપ્ટેમ્બર 2017 (12:31 IST)
બનાસકાંઠાના ૨૦૦ જેટલાં ગામના પૂરપીડિતો એકઠા થયા હતા અને મોટી જાહેરસભા ભરી હતી. ત્યાર બાદ તેમના દ્વારા રેલી કાઢવામાં આવતાં સરકારે તે અંગે ઝડપથી કાર્યવાહી કરવા તંત્રને સૂચના આપી છે. અખિલ ભારતીય ક્ષત્રિય મંચની આગેવાની હેઠળ ડીસા ખાતે રેલી કાઢતાં ભાજપના નેતા માટે બનાસકાંઠામાં ચૂંટણીમાં તકલીફ થાય તેવું લાગતાં પૂરપીડિતોને મદદ કરવા માટે તૈયારીઓ શરૂ થઈ છે. અતિવૃષ્ટિમાં નુકસાન અંગે લોકો રોષે ભરાયા છે અને ન્યાય નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે ચીમકી પણ આપી છે.

બનાસકાંઠાના પૂર પીડિતો ઉંચાણવાળા વિસ્તારમાં ઘર અને જમીન ફાળવવા માટે માગણી કરી રહ્યાં છે. સરકાર નીચાણવાળા વિસ્તારો કે જ્યાં પાણી ભરાય છે ત્યાં ઘર આપવા માગે છે. તેમની બીજી માંગણીઓ એવી છે કે, ખેડૂતોનું દેવું એક વર્ષ માટે માફ કરવામાં આવે. નોંધાયેલા પશુઓને મૃત સહાય, ડેરીમાં દૂધ ભરતાં હતા તેના આધારે મૃત પશુ સહાય આપવામાં માંગણી કહી રહ્યાં છે. સરકાર મરેલા પશુનું પોસ્ટમોર્ટમ રિપોર્ટ માગી રહી છે. તેના પુરાવા માગી રહી છે. જે પૂરમાં તણાઇ ગયેલાં પશુને અમે પુરાવા ક્યાંથી લઈ આવીએ? દરમિયાન નૉટબંધી, જીએસટી અને પૂરના કારણે મહામંદીમાં સપડાયેલાં વેપારીઓને પાંચ વર્ષ માટે વેરા માફ કરવામાં આવે તેવી માગણી કરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Digital Arrest: શુ છે ડિજિટલ અરેસ્ટ અને કેવી રીતે આ તમને કરી શકે છે બરબાદ ?

રાજસ્થાનના બાબા બાલકનાથ સામે બળાત્કારનો કેસ, ચાલતી કારમાં પેડા ખવડાવીને ખોટું કર્યું

ઇઝરાયલના હવાઈ હુમલામાં બૈરુતની હૉસ્પિટલમાં ચાર લોકોનાં મોત

એક સાથે 23 હાથી રેલ્વે ટ્રેક પર પહોંચ્યા, 16 ટ્રેનો રોકવી પડી, કારણ જાણીને થઈ જશે ભાવુક

Guru Pushya Nakshatra 2024 :પુષ્ય નક્ષત્ર પર આ વસ્તુઓ ખરીદવાથી ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments