Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં 300ને પાર પહોંચ્યા કોરોનાના સક્રિય કેસ, અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા

Webdunia
ગુરુવાર, 16 માર્ચ 2023 (11:34 IST)
ગુજરાતમાં ફરી એકવાર કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં વધારો થયો છે. અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 90 નવા દર્દીઓમાં કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 300ને પાર પહોંચી ગઈ છે.
 
રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય વિભાગને એલર્ટ કરવામાં આવ્યું છે. કોવિડના વધતા કેસનો રિપોર્ટ ખુદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ લઈ રહ્યા છે. રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થયા બાદ H3N2 વાયરસનો ચેપ પણ સામે આવ્યો છે. બે દિવસ પહેલા વડોદરામાં એક મહિલાનું મોત થયું હતું. આરોગ્ય વિભાગનું કહેવું છે કે અંતિમ રિપોર્ટ આવવાનો બાકી છે. ત્યાર બાદ જ કહી શકાશે કે મોતનું કારણ શું છે. અગાઉ મહિલાના ઈન્ફલ્યુએન્ઝા વાયરસના ચેપની પુષ્ટિ થઈ હતી.
 
90 નવા કેસ, 300 એક્ટિવ કેસ
રાજ્યમાં કોરોનાના નવા કેસોમાં 55 ટકાનો વધારો થયો છે. જેના કારણે એક્ટિવ કેસની સંખ્યામાં 25 ટકાનો વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 90 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 49 દર્દીઓ મળી આવ્યા છે. મહેસાણામાં 10, રાજકોટ શહેરમાં 8, સુરત શહેરમાં 6 કેસ નોંધાયા છે. સાબરકાંઠા જિલ્લા અને વડોદરા શહેરમાં 5-5 દર્દીઓ મળી આવ્યા છે. પોરબંદર, રાજકોટ જિલ્લામાં બે-બે, અમરેલી, ભરૂચ અને વલસાડમાં એક-એક દર્દીની પણ પુષ્ટિ થઈ છે. રાજ્ય સરકારના હેલ્થ બુલેટિન મુજબ 22 દર્દીઓને રજા આપવામાં આવી છે.
 
રાજ્યમાં 336 કોરોના દર્દીઓ
નવા કેસના આગમનને કારણે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 336 થઈ ગઈ છે, જેમાંથી પાંચ વેન્ટિલેટર પર છે. 331ની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 11047 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1154 લોકોને કોરોનાની રસી પણ મળી છે. એક દિવસ પહેલા સુધી રાજ્યમાં કુલ દર્દીઓની સંખ્યા 286 હતી. એક અનુમાન મુજબ, છેલ્લા છ મહિનામાં કોરોના કેસમાં આ મોટો વધારો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત

વાવાઝોડા 'દાના'નો કહેર: આગામી 24 કલાક ખતરનાક, રેડ એલર્ટ જારી, તોફાની પવન સાથે ભારે વરસાદ

આઈસ્ક્રીમ મોંઘી થશે, હવે તમારે 18 ટકા જીએસટી ચૂકવવો પડશે

ઝિમ્બાબ્વેએ ટી20 માં હાંસલ કરી અત્યાર સુધીની સૌથી મોટી જીત, રેકૉર્ડ બનાવ્યો, ફટકાર્યા 344 રન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે થઈ દ્વિપક્ષીય બેઠક

આગળનો લેખ
Show comments